માઈક પોમ્પિયોએ બુકમાં સુષમા સ્વરાજનું અપમાન કર્યું

માઈક પોમ્પિયોએ બુકમાં સુષમા સ્વરાજનું અપમાન કર્યું

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિશે વિવાદાસ્પદ વાતો લખી છે. તેમણે લખ્યું કે સુષ્મા સ્વરાજ ભારતીય વિદેશ નીતિ ટીમના મહત્વના સભ્ય નહોતા. પોમ્પિયોએ પુસ્તકમાં સુષમા માટે ગૂફબોલ (ઓછા બુદ્ધિશાળી) જેવા અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.

આ મામલે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પોમ્પિયો પર આલોચના કરી ચૂક્યા છે, પરંતુ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ડિપ્લોમેટ અબ્દુલ બાસિતે પણ પોમ્પિયોની આકરી ટીકા કરી છે. અબ્દુલ બાસિતે કહ્યું છે કે પોમ્પિયોએ પોતાનું પુસ્તક વેચવા માટે સુષમા સ્વરાજ વિશે આવી વાતો લખી છે.

ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- પોમ્પિયોના પુસ્તકમાં લખેલી વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લેખક ઇચ્છે છે કે તેનું પુસ્તક વેચાય, તેથી આ પ્રકારના લોકો જૂઠનો આશરો લે છે. પોમ્પિયોના પુસ્તકમાં લખેલી બાબતો વાસ્તવિકતાથી ઘણી દૂર છે.

પરમાણુ યુદ્ધની નજીક હોવાની વાત પણ નકારી
માઈક પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2019માં બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા. પુસ્તક અનુસાર આ માહિતી પોમ્પિયોને સુષ્મા સ્વરાજે આપી હતી. અબ્દુલ બાસિતે આ પણ પોમ્પિયોની મનઘડત કહાની ગણાવતા કહ્યું- મને ખ્યાલ છે કે પાકિસ્તાને તે સમયે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી ન હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow