માઇક્રોફાઇ.સેક્ટરની વૃદ્વિ 16 ગણી વધી રૂ.2.85 લાખ કરોડ

માઇક્રોફાઇ.સેક્ટરની વૃદ્વિ 16 ગણી વધી રૂ.2.85 લાખ કરોડ

માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા દાયકામાં રૂ. 2.85 લાખ કરોડના લોન પોર્ટફોલિયો સાથે 16 ગણી વૃદ્વિ નોંધાવી છે. આગામી સમયમાં ગ્રાહકની રૂચિ તેમજ સુરક્ષાના અધિકારોને કારણે લાંબા ગાળા માટે ટકાઉ વૃદ્વિ જોવા મળે તેવી સંભાવના છે. માઇક્રો મેટર્સ: મેક્રો વ્યૂ - ઇન્ડિયા માઇક્રોફાઇનાન્સ રિવ્યૂ 2021-22’ રિપોર્ટ અનુસાર વર્ષ 2012 સુધી માત્ર માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ નેટવર્ક (MFIN), NBFC-MFIs (માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ) જ માત્ર નિયમન હેઠળ માઇક્રો લોન ઓફર કરતી કંપનીઓ હતી.

માર્ચ 2022 અનુસાર માર્ચ 2012માં ઇન્ડસ્ટ્રીનો પોર્ટફોલિયો રૂ.17,264 કરોડથી 16.5 ગણો વધીને રૂ. 2,85,441 કરોડ નોંધાયો હતો. બેન્કો તેમજ NBFCsએ વર્ષ 2016થી માઇક્રો લોનનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું તેમજ સ્મોલ ફાઇનાન્સ બેન્કોએ વર્ષ 2017થી લોન વિતરણ શરૂ કર્યું હતું.

SRO તરીકે MFINની કાર્યપ્રણાલી વર્ષ 2010થી શરૂ થઇ છે જેનાથી સેક્ટર ગ્રાહક સુરક્ષા, ઉદ્યોગ આચાર સંહિતા, નીતિ હિમાયત જેવા મજબૂત પાયાને કારણે ગ્રોથ તરફ સતત આગળ વધ્યું છે. આ દરેકથી એક જવાબદાર ફાઇનાન્સ ઇકોસિસ્ટમનું નિર્માણ શક્ય બને છે તેવું MFINના અધ્યક્ષ દેવેશ સચદેવે કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નાણાકીય સમાવેશ અથવા ફાઇનાન્શિયલ એક્સેસ તકનું સર્જન કરવા માટેનો માર્ગ છે જે આ સમગ્ર વૃદ્વિ પ્રક્રિયામાં ઓછી આવક ધરાવતા લોકોને પણ તક પૂરી પાડે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow