મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

કોવિડ રસીકરણ માટે તૈયાર કરાયેલી કોવિન એપનો ઉપયોગ હવે દેશમાં થઈ રહેલા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવશે. તેના માટે દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બે-બે જિલ્લાઓને પસંદગી કરાઈ છે. આ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટમાં ચલાવવામાં આવશે. તેના માટે આરોગ્ય મંત્રાલય તરફથી નેશનલ ઈમ્યૂનાઈજેશન કાર્યક્રમમાં અપાતી વેક્સિનને કોવિન એપ સાથે જોડવામાં આવી રહી છે.

કોવિન એપના માધ્યમથી અત્યાર સુધી બસો કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. હવે આ એપનો ઉપયોગ સગર્ભા મહિલાઓથી લઈ 12થી 13 પ્રકારની બિમારીઓ સામે રક્ષણ માટે બાળકોને અપાતી રસીને પણ તેની સાથે જોડવામાં આવશે. સગર્ભા અને બાળકોને જે રસી અપાશે, તેની સંપૂર્ણ માહિતી કોવિન એપ પર ઉપલબ્ધ હશે.

કોવિન ઉપર રજીસ્ટ્રેશન કરવાની જે રીત હાલ છે, તેવી જ રીતે અન્ય વેક્સિન માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કોવિન એપ દ્વારા જ્યારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને જોડવામાં આવશે, ત્યારે રસી લેનારાઓની વાસ્તવિક સંખ્યા એક પોર્ટલ પર ઉલબ્ધ થશે. જુદા-જુદા પ્લેટફોર્મ પરથી તેની જાણકારી લેવાની જરૂર નહીં પડે.

સાથે જ જો કોઈ રસીની નક્કી કરાયેલી તારીખ પર રસી લેવામાં નથી આવતી, તો તેને કોવિન એપના માધ્યમથી રિમાઈન્ડર પણ મોકલવામાં આવશે. જેનાથી રસી ડ્રોપ આઉટમાં ઘટાડો આવે. અત્યારે 10થી 15 ટકા બાળકો જુદા-જુદા કારણોસર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ તમામ રસી નથી લઈ શકતા.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow