ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ કારણે લોકોને મળશે ઠંડીથી આંશિક રાહત

ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ કારણે લોકોને મળશે ઠંડીથી આંશિક રાહત

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.  જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.

ઠંડીને લઇને હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું છે કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

2 દિવસ તાપમાન કેટલું રહેશે ?

હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ તાપમાન વધી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.  મહત્વનું કે, હવામાન વિભાગે 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે.

આજે પણ હાડ થીજવતી ઠંડી

નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત હતી. જે સવારે પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો હતો. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,  જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

આજે સવારે ક્યાં કેટલુ તાપમાન હતું ?

  • નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow