મધદરિયે પેસેન્જર જહાજમાં આગ!

મધદરિયે પેસેન્જર જહાજમાં આગ!

રવિવારે બપોરે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં તાલિસે ટાપુ નજીક કેએમ બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.

જહાજમાં 280 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 150 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આગ ઝડપથી ફેલાતી હોવાથી, ઘણા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

સ્થાનિક ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ અને ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

લિકુપાંગ બંદર પર એક કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાંથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow