મધદરિયે પેસેન્જર જહાજમાં આગ!

મધદરિયે પેસેન્જર જહાજમાં આગ!

રવિવારે બપોરે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં તાલિસે ટાપુ નજીક કેએમ બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.

જહાજમાં 280 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 150 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આગ ઝડપથી ફેલાતી હોવાથી, ઘણા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

સ્થાનિક ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ અને ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

લિકુપાંગ બંદર પર એક કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાંથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow