સેન્ડવીચ અને પફમાં મેયોનીઝ ખાવાના શોખીનો ચેતી જજો! શરીરમાં વધી જાય છે આ 5 બિમારીઓનો ખતરો

સેન્ડવીચ અને પફમાં મેયોનીઝ ખાવાના શોખીનો ચેતી જજો! શરીરમાં વધી જાય છે આ 5 બિમારીઓનો ખતરો

મોટાભાગના લોકો મોમોઝ, બર્ગર, સેન્ડવીચ તથા અન્ય ફૂડમાં મેયોનીઝ નાખીને તેનું સેવન કરે છે. અનેક લોકોને મેયોનીઝ વધુ પસંદ હોવાને કારણે તેઓ આ તમામ વસ્તુઓ સાથે મેયોનીઝનું સેવન કરે છે. જ્યારે પણ જંક ફૂડ ખાય છે, ત્યારે મેયોનીઝ તો હોય જ છે. જો તમે પણ વ્હાઈટ ક્રિમી દેખાનાર ચટની અથવા સોસનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે નુકસાનકારક છે. મેયોનીઝથી શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

મેયોનીઝ ખાવાથી થતું નુકસાન

  • એક ચમચી મેયોનીઝમાં લગભગ 1 ગ્રામ શુગર હોય છે, સીમિત માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી નુકસાન થતું નથી. વધુ માત્રામાં નિયમિત રીતે શુગરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પર અસર થતા BP હાઈ થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે મેયોનીઝ ના ખાવું જોઈએ.
  • મેયોનીઝમાં વધુ માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે. વધુ માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. મેયોનીઝમાં એડેડ ઓઈલ હોય છે. જે લોકોને BPની સમસ્યા હોય તે લોકો મેયોનીઝનું સેવન કરે તો તેમને બ્લડ ક્લોટ, હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાનું જોખમ રહે છે.
  • જો તમારું વજન વધી રહ્યું છે, તો મેયોનીઝનું સેવન બિલ્કુલ પણ ના કરવું જોઈએ. મેયોનીઝમાં સૌથી વધુ માત્રામાં કેલરી અને ફેટ હોય છે. નિયમિતરૂપે મેયોનીઝનું સેવન કરવાથી વજન વધતા તમે મેદસ્વીતાનો શિકાર કરી શકો છો. મેયોનીઝ તેલથી બનેલ હોય છે અને તેમાં ઉચ્ચ સ્તરે ફેટ રહેલું હોય છે. એક ચમચી મેયોનીઝમાં 100 કેલરી હોય છે.
  • મેયોનીઝમાં સૌથી વધુ માત્રામાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ કારણોસર મેયોનીઝનું સૌથી વધુ સેવન કરવાથી હ્રદયરોગની સમસ્યા થઈ શકે છે. નિયમિતરૂપે જંકફૂડની સાથે મેયોનીઝનું સેવન કરવાથી હ્રદયને નુકસાન પહોંચી શકે છે. માઈફૂડડાટાના રિપોર્ટ અનુસાર એક મોટી ચમચી મેયોનીઝમાં 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. હાઈ સેચ્યુરેટેડ ફેટ ડાયટનું સેવન કરવાથી કોલસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે. જેના કારણે હ્રદયરોગ થવાના જોખમમાં વધારો થાય છે.
  • મેયોનીઝમાં પ્રિઝર્વેટીવ, આર્ટીફિશિયલ ઈન્ગ્રીડિયન્ટ્સ હોય છે. આ કારણોસર વધુ માત્રામાં મેયોનીઝ ખાવાથી માથાનો દુખાવો, નબળાઈની સમસ્યા થઈ શકે છે. જો તમે પણ આ પ્રકારની ખરાબ અસરથી બચવા માંગો છો તો તમારે બહાર મળતા મેયોનીઝનું સેવન ના કરવું જોઈએ, તમે મેયોનીઝ ઘરે જ બનાવીને તેનું સેવન કરી શકો છો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow