'સફેદ ઝેર' છે મેયોનીઝ, ચટકારા લઈને ખાતા પહેલા જાણી લો તેનાથી શરીરને થતા મોટા નુકસાન વિશે

'સફેદ ઝેર' છે મેયોનીઝ, ચટકારા લઈને ખાતા પહેલા જાણી લો તેનાથી શરીરને થતા મોટા નુકસાન વિશે

નાના બાળકોથી વલઈને મોટાઓ સુધી મેયોનીઝ દરેકને પસંદ આવે છે. બર્ગર, પિઝ્ઝા અથવા મોમોઝની સાથે મેયોનીઝ ન હોય તો સ્વાદ નથી આવતો. અમુક લોકો મેયોનીઝને સેન્ડવિચ અને પાસ્તામાં નાખીને ખાય છે. જ્યારે અમુક લોકોને મેયોનીઝના ક્રીમી ટેક્સચર પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેયોનીઝ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?

મેયોનીઝના શોખીનો જાણી લેજો નુકસાન વિશે
જો તમે મેયોનીઝના શોખીન છો તો તમને તેના નુકસાન વિશે જરૂર ખબર હોવી જોઈએ. હકીકતે વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારનું નુકસાન થઈ શકે છે. તેનાથી તમને ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આવો જાણીએ મેયોનીઝ ખાવાના સાઈડ ઈફેક્ટ.

મેયોનીઝ ખાવાના નુકસાન

ડાયાબિટીસ
વધારે મેયોનીઝ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમે દરરોજ તેને ખાઈ રહ્યા છો તો ડાયાબિટીસનો ખતરો વધારે છે. ત્યાં જ જો તમે પહેલાથી જ ડાયાબિટીસનો શિકાર છો તો પછી તમને તેને ખાવાથી બચવું જોઈએ.

વજન વધવું
મેયોનીઝને વધારે ખાવાથી તમારૂ વજન ઝડપથી વધી શકે છે. હકીકતે મેયોનીઝમાં ઘણા પ્રમાણમાં કેલેરી હોય છે. તેમાં ફેટ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેના કારણે તમે વધારે મેયોનીઝ આશો તો તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો.

બ્લડ પ્રેશર વધવું
વધારે મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતે મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. મેયોનીઝનું વધારે સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો પણ રહે છે.

હાર્ટ સંબંધીત બીમારીઓનો ખતરો
મેયોનીઝ લવર્સ માટે ખતરાની વાત એ છે કે તેના સેવનથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. મેયોનીઝની એક મોટી ચમચીમાં લગભગ 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. વધારે મેયોનીઝ કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હૃદય રોગનો ખતરો વધે છે.

માથામાં દુખાવો
બજારમાં મળતા મેયોનીઝમાં પ્રિઝરવેટિવ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રેડિઅન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા રહેલા એમએસજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી ઘણા લોકોને માથામાં દુખાવો કમજોરી જેવી સમસ્યા આવી શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow