રાજકોટમાં પરિણીતા પ્રેમી સાથે ફરાર થઈ, વીરપુર નજીક ટ્રેન નીચે ઝંપલાવી આયખું ટૂંકાવ્યું

રાજકોટમાં પરિણીતા પ્રેમી સાથે ફરાર થઈ, વીરપુર નજીક ટ્રેન નીચે ઝંપલાવી આયખું ટૂંકાવ્યું

રાજકોટ જિલ્લામાં વિરપુર અને કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ પરિવારજનો એક થવા નહીં દે તેવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

વિરપુર અને કાગવડ વચ્ચે આજે એક યુવક યુવતી શાંત્રાગાચી એકસપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવવા માટે તપાસ કરી હતી તે દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી કેશોદના ખમીતાણ ગામની ગીતા જગદીશ રાઠોડ (ઉ.વ.26) અને યુવક ગોંડલના મસીતાડા ગામનો અજય ભીમા ભાસ્કર (ઉ.વ.22) હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બન્નેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow