ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતના શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં અસુરક્ષાની ભાવના એટલી હદે વધી ગઈ છે કે તેઓ ઘરમાં જ પુરાઇને રહે છે, બિનજરૂરી કામવગર બહાર પણ નથી નિકળી શકતી. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ટીયુએસ (ટાઇમ યુઝ સર્વે) મુજબ, ભારતના શહેરોમાં 53% એટલે કે અડધાથી વધુ મહિલાઓ તેમના ઘરમાંથી બહાર નીકળતી નથી, જ્યારે 14% પુરુષો પણ આવું જ કરે છે. ઝારખંડની રહેવાસી 19 વર્ષની મનીષા દિલ્હીના એક ઘરમાં ફુલ ટાઈમ મેઇડ છે. તે કહે છે- હું કમાઉં છું, પણ મહિનામાં એક કે બે વાર જ બહાર જાઉં છું. જાહેર રસ્તાઓ પર હું ખુદને સલામત નથી અનુભવતી. જાહેરમાં થતી છેડતીની ઘટનાઓ સામન્ય વાત છે.

આઈઆઇટી દિલ્હીના પ્રોફેસર રાહુલ ગોયલ ટાઇમ ન્યૂઝના આધાર પર મહિલાઓ અને પુરુષોના જીવનમાં તફાવત અંગે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે- પરિવારના સભ્યો બાળપણથી જ છોકરીઓને બહાર મોકલવાનું ટાળે છે. તેઓ કહે છે કે 25 થી 44 વર્ષની સ્ત્રીઓ દરરોજ સરેરાશ સાડા આઠ કલાક ઘરના કામકાજ કરે છે, જ્યારે પુરુષો સરેરાશ માત્ર એક કલાક કામ કરે છે. મહિલાઓને ઘરોમાં કેદ રાખવાનું આ પણ એક કારણ છે.

આ ઉંમરના 88% પુરુષો દરરોજ ઘરની બહાર નીકળે છે, જ્યારે માત્ર 38% જ શહેરી મહિલાઓ દરરોજ ઘરની બહાર નીકળતી હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે લગ્ન પછી મહિલાઓની બહાર નીકળવાની તકો ઓછી થાય છે, જ્યારે પુરુષોની તકો વધી જાય છે. નોકરી કરતી મહિલાઓ સિવાય માત્ર 30% મહિલાઓ જ રોજ ઘરની બહાર નીકળે છે.

મહિલાઓનું બહાર ન નીકળવાનું કારણ

  • ભારતમાં લૈંગિક અસમાનતાનું સ્તર ઘણું ઊંચું છે.
  • જાહેર સ્થળોએ મહિલાઓની છેડતીનું પ્રમાણ વધી રહ્યું છે.
  • વર્ક ફોર્સમાં મહિલાઓનો હિસ્સો માત્ર 27% છે.
  • શહેરોમાં પણ સામાજિક પછાતપણું.
  • છોકરીઓની મિત્રતાની સંખ્યામાં સરેરાશ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow