કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

જે નોકરીઓમાં કર્મચારીઓ વચ્ચે ઓછી વાતચીત હોય છે તે નોકરી સૌથી પીડાદાયક હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં 85 વર્ષથી ચાલી રહેલા સંશોધનમાં આ વાત સ્પષ્ટ થઈ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકોલોજીના પ્રોફેસર અને હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર રોબર્ટ વાલ્ડિંગરે જણાવ્યું છે કે ખુશી અને કાર્યસ્થળ પર આટલો લાંબો અભ્યાસ પહેલીવાર થયો છે.

1938થી હાર્વર્ડ યુનિવર્સિટીએ સમગ્ર વિશ્વમાંથી 700 લોકોના આરોગ્ય રેકોર્ડ લેવાનું શરૂ કર્યું. દર બે વર્ષે તેમને તેમના જીવન વિશે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. જે નોકરીઓમાં કર્મચારીઓને એકાંતમાં કામ કરવું પડે છે ત્યાં એકલતા વધારે જોવા મળે છે. ડિલિવરી પાર્ટનર, ટ્રક ડ્રાઇવરો, નાઇટ શિફ્ટ કામદારો, પ્રવાસી કામદારો જેવા કામમાં રોકાયેલા લોકો વધારે નાખુશ રહે છે. વાલ્ડિંગર આ વિશે કહે છે કે આવી વસ્તુઓ વાતાવરણમાં નકારાત્મક ભરી દે છે.

વેરહાઉસ વગેરેમાં કામ કરતા કર્મચારીઓને બીજી પાળીમાં કામ કરતા લોકોના નામ પણ ખબર હોતાં નથી. આ અભ્યાસ પર વાત કરતા રોબર્ટ વાલ્ડિંગરે કહ્યું છે કે તે અમારી નોકરીઓ પર પણ લાગુ પડે છે. જો તમે લોકો સાથે વધુ જોડાયેલા છો તો તમે તમારી નોકરીથી વધુ સંતુષ્ટ અનુભવો છો અને વધુ સારી રીતે નોકરી કરો છો. સુખી, સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માટે પૈસા, નોકરીની સફળતા કે કસરત કરતાં હકારાત્મક સંબંધો વધુ મહત્વપૂર્ણ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow