કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

જે નોકરીઓમાં કર્મચારીઓ વચ્ચે ઓછી વાતચીત હોય છે તે નોકરી સૌથી પીડાદાયક હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં 85 વર્ષથી ચાલી રહેલા સંશોધનમાં આ વાત સ્પષ્ટ થઈ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકોલોજીના પ્રોફેસર અને હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર રોબર્ટ વાલ્ડિંગરે જણાવ્યું છે કે ખુશી અને કાર્યસ્થળ પર આટલો લાંબો અભ્યાસ પહેલીવાર થયો છે.

1938થી હાર્વર્ડ યુનિવર્સિટીએ સમગ્ર વિશ્વમાંથી 700 લોકોના આરોગ્ય રેકોર્ડ લેવાનું શરૂ કર્યું. દર બે વર્ષે તેમને તેમના જીવન વિશે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. જે નોકરીઓમાં કર્મચારીઓને એકાંતમાં કામ કરવું પડે છે ત્યાં એકલતા વધારે જોવા મળે છે. ડિલિવરી પાર્ટનર, ટ્રક ડ્રાઇવરો, નાઇટ શિફ્ટ કામદારો, પ્રવાસી કામદારો જેવા કામમાં રોકાયેલા લોકો વધારે નાખુશ રહે છે. વાલ્ડિંગર આ વિશે કહે છે કે આવી વસ્તુઓ વાતાવરણમાં નકારાત્મક ભરી દે છે.

વેરહાઉસ વગેરેમાં કામ કરતા કર્મચારીઓને બીજી પાળીમાં કામ કરતા લોકોના નામ પણ ખબર હોતાં નથી. આ અભ્યાસ પર વાત કરતા રોબર્ટ વાલ્ડિંગરે કહ્યું છે કે તે અમારી નોકરીઓ પર પણ લાગુ પડે છે. જો તમે લોકો સાથે વધુ જોડાયેલા છો તો તમે તમારી નોકરીથી વધુ સંતુષ્ટ અનુભવો છો અને વધુ સારી રીતે નોકરી કરો છો. સુખી, સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માટે પૈસા, નોકરીની સફળતા કે કસરત કરતાં હકારાત્મક સંબંધો વધુ મહત્વપૂર્ણ છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow