રાજકોટમાં લગ્ન, જન્મ-મરણ અને આધારકાર્ડ નોંધણી માટે નવી વ્યવસ્થા કરશે મનપા

રાજકોટમાં લગ્ન, જન્મ-મરણ અને આધારકાર્ડ નોંધણી માટે નવી વ્યવસ્થા કરશે મનપા

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ સિવિક સેન્ટરમાં મિલકત વેરાની કામગીરી તેમજ જન્મ-મરણ નોંધણી, આધારકાર્ડ સુધારા વધારા અને લગ્ન નોંધણી સહિત માટે અલગ અલગ વ્યવસ્થા છે પણ તમામ કચેરીઓમાં સ્થળ હવે ટૂંકા પડી રહ્યા છે તેથી નવી વ્યવસ્થા કરવા માટે નિર્ણય લેવાયો છે.

મેયર ડો.પ્રદીપ ડવે મનપાના ઈજનેરો સહિતનાઓ સાથે સિવિક સેન્ટર, આધારકાર્ડ કેન્દ્ર અને જન્મ-મરણ વિભાગની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. બાદમાં નિર્ણય લેવાયો છે કે, આધારકાર્ડ કેન્દ્રમાં રિનોવેશન કરીને ત્યાં જગ્યા વધારવાની જરૂર છે આ ઉપરાંત જન્મ-મરણ વિભાગમાં અરજદારોની સંખ્યા ખૂબ રહેતી હોવાથી હવે ત્યાં જગ્યા ટૂંકી પડે છે તેથી ત્યાં વધુ જગ્યા આપવામાં આવશે. જ્યારે લગ્ન નોંધણી માટે હાલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે આરોગ્ય વિભાગમાં અરજદારોને જવું પડે છે. આ વ્યવસ્થામાં પણ ફેરફાર કરીને જન્મ-મરણ વિભાગની જેમ જ ગ્રાઉન્ડ ફ્લોર પર તેની વ્યવસ્થા કરવામાં આવશે. સૌથી પહેલા આધારકાર્ડ કેન્દ્રના રિનોવેશનની કામગીરી થશે તે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow