મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

દેશનો સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે જેને લઈને દરેક સરકારી તંત્ર અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં લાગી ગયું છે. આ પૈકી રાજકોટ મહાનગરપાલિકાએ હર ઘર તિરંગા અભિયાન મુજબ તિરંગાનું વિતરણ શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાન હેઠળ મનપાએ તિરંગા બદલ વિવિધ સંસ્થાઓ પાસેથી ચાર્જ લીધા હતા અને લોકો વોર્ડ ઓફિસેથી તિરંગો લેવા જાય તો ચાર્જ આપવાનો હતો. જો કે આ વર્ષે મનપા કોઇપણ પ્રકારનો ચાર્જ નહિ લ્યે અને વિનામૂલ્યે જ આપશે. હાલની સ્થિતિએ મનપાએ 2 લાખ તિરંગાનો ઓર્ડર આપ્યો છે જો કે દરેક ઘરે તિરંગા પહોંચાડવા હોય તો શહેરમાં આશરે 4 લાખથી વધુ તિરંગા જરૂર પડે. હર ઘર તિરંગા ઉપરાંત મનપાએ તિરંગા યાત્રાની પણ તૈયારી શરૂ કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow