મણિપુર: શાળાઓમાં 90% સુધી બાળકો ગેરહાજર રહ્યાં

મણિપુર: શાળાઓમાં 90% સુધી બાળકો ગેરહાજર રહ્યાં

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે 1લીથી 8મી સુધીની શાળાઓ બે મહિના પછી બુધવારે ખૂલી. જોકે, મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરી ઓછી રહી હતી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સરકારના વર્ગો ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 4,521 શાળાઓમાં સરેરાશ 20 ટકા વિદ્યાર્થીઓ જ આવ્યા હતા.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ ઓછી હાજરી માટે હિંસા, વાહનવ્યવહાર અને માતા-પિતા તેમજ બાળકોમાં રહેલા ડરને જવાબદાર ગણાવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે તે નિર્ણય લેવો જોઈએ કે પરિસ્થિતિ તંગ રહે તોપણ શાળાઓ દરરોજ થોડા સમય માટે ખૂલવી જોઈએ.

વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. વાંગખેઈ હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક આર.કે. રંજીથાદેવીએ જણાવ્યું હતું કે મે મહિનામાં શાળા બંધ થવાને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. શાળાના પ્રથમ દિવસે હાજરી માત્ર 10% જ હતી.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow