મણિપુર સરકાર નો વર્ક-નો પે નિયમ લાગુ કરશે

મણિપુર સરકાર નો વર્ક-નો પે નિયમ લાગુ કરશે

મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જઈ શકતા નથી. રજાની મંજૂરી લીધા વિના ઓફિસમાંથી ગુમ થયેલા આ કર્મચારીઓ માટે સરકાર નવો નિયમ લાવી રહી છે.

મણિપુર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં 'નો વર્ક-નો પે' નિયમ લાગુ કરશે. સરકારે તમામ વહીવટી સચિવોને એવા કર્મચારીઓની વિગતો આપવા જણાવ્યું છે જેઓ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કામ પર આવી રહ્યા નથી.

મણિપુરમાં લગભગ એક લાખ સરકારી કર્મચારીઓ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મણિપુરમાં વિસ્થાપિત થયેલા 65,000 થી વધુ લોકોમાં રાજ્ય સરકારના ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેઓએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.

સરકારના નવા નિયમનો કુકી આદિવાસીઓના સંગઠન કુકી ઈમ્પી મણિપુર (KIM) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. KIMના જનરલ સેક્રેટરી ખૈખોહાઉહ ગંગટેએ જણાવ્યું હતું કે, "મણિપુર સરકાર તેના કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે, ખાસ કરીને જેઓ ઈમ્ફાલ ખીણમાંથી નીકળી ગયેલા લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. તેમણે કહ્યું, ઈમ્ફાલ પાછા જવાનો કોઈ રસ્તો નથી. ઇમ્ફાલ જવું એટલે કુકી લોકોના જીવ જોખમમાં મૂકવો.

હિંસામાં અત્યાર સુધીમાં 131 લોકોના મોત થયા છે
હિંસાને જોતા રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સર્વપક્ષીય બેઠકમાં ગૃહ મંત્રાલયે હિંસામાં અત્યાર સુધીમાં 131 લોકોના મોતની માહિતી આપી હતી. તે જ સમયે 419 લોકો ઘાયલ થયા છે. આગજનીના 5 હજારથી વધુ બનાવો બન્યા છે. છ હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં 36 હજાર સુરક્ષાકર્મીઓ અને 40 આઈપીએસ તહેનાત કરવામાં આવ્યા છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow