મણિપુર સરકાર નો વર્ક-નો પે નિયમ લાગુ કરશે

મણિપુર સરકાર નો વર્ક-નો પે નિયમ લાગુ કરશે

મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જઈ શકતા નથી. રજાની મંજૂરી લીધા વિના ઓફિસમાંથી ગુમ થયેલા આ કર્મચારીઓ માટે સરકાર નવો નિયમ લાવી રહી છે.

મણિપુર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં 'નો વર્ક-નો પે' નિયમ લાગુ કરશે. સરકારે તમામ વહીવટી સચિવોને એવા કર્મચારીઓની વિગતો આપવા જણાવ્યું છે જેઓ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કામ પર આવી રહ્યા નથી.

મણિપુરમાં લગભગ એક લાખ સરકારી કર્મચારીઓ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મણિપુરમાં વિસ્થાપિત થયેલા 65,000 થી વધુ લોકોમાં રાજ્ય સરકારના ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેઓએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.

સરકારના નવા નિયમનો કુકી આદિવાસીઓના સંગઠન કુકી ઈમ્પી મણિપુર (KIM) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. KIMના જનરલ સેક્રેટરી ખૈખોહાઉહ ગંગટેએ જણાવ્યું હતું કે, "મણિપુર સરકાર તેના કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે, ખાસ કરીને જેઓ ઈમ્ફાલ ખીણમાંથી નીકળી ગયેલા લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. તેમણે કહ્યું, ઈમ્ફાલ પાછા જવાનો કોઈ રસ્તો નથી. ઇમ્ફાલ જવું એટલે કુકી લોકોના જીવ જોખમમાં મૂકવો.

હિંસામાં અત્યાર સુધીમાં 131 લોકોના મોત થયા છે
હિંસાને જોતા રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સર્વપક્ષીય બેઠકમાં ગૃહ મંત્રાલયે હિંસામાં અત્યાર સુધીમાં 131 લોકોના મોતની માહિતી આપી હતી. તે જ સમયે 419 લોકો ઘાયલ થયા છે. આગજનીના 5 હજારથી વધુ બનાવો બન્યા છે. છ હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં 36 હજાર સુરક્ષાકર્મીઓ અને 40 આઈપીએસ તહેનાત કરવામાં આવ્યા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow