દાંતીયામાં ધોળા દિવસે ગોગ મહારાજનું છત્ર ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ

દાંતીયામાં ધોળા દિવસે ગોગ મહારાજનું છત્ર ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ

થરાદ તાલુકાના દાંતિયા ગામના એક પરિવારના મંદિરમાંથી સોમવારે ધોળા દિવસે ગોગ મહારાજનું છત્ર, મંદિરમાં લગાવેલ કેમેરો ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દાતિયા ગામના કલાભાઈ જીવરાજભાઈ ચૌધરી (વાગડા) પરિવારના કુળદેવી ગોગા મહારાજ અને નકળંગ ભગવાનનું મંદિર ગામમાં આવેલ ઘરે આવેલું છે.

એક મહિના પહેલા તેમના આ મંદિરમાં ચોરી થતાં ચોરી કરનારને કોઈએ જોયેલ ન હોય ફરિયાદ કરી ન હતી. પરંતુ કુટુંબના માણસોએ ભેગા થઈ કેમેરો લગાવ્યો હતો. અને કેમેરાનું સીધું કનેક્શન તેમના પિતરાઈ અમરાભાઇ હીરાભાઈ પટેલના મોબાઇલમાં દેખાય તેવી રીતે ગોઠવણી કરી હતી.

જેમાં બપોરના અઢી વાગ્યાના સુમારે તેમના કુળદેવીના મંદિરમાં એક શખ્સ ચોરી કરવા આવેલો અજાણ્યો શખસ ચોરી કરતો કેદ થયેલો જણાયો હતો. જેણે સોમવારે બપોરના 2-15 વાગ્યાના સુમારે મંદિરમાં આવીને ગોગ મહારાજનું છત્ર તથા મંદિરમાં લગાવેલ કેમેરો પણ ચોરી કરીને લઈને જતો રહ્યો હતો. પરંતુ મંદિરમાં લગાવેલ કેમેરો ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. એક મહિના પહેલા આજ મંદિરમાં કુલ 400 ગ્રામ કિંમત રૂપિયા 15000 અને રોકડ આશરે 1500 ની ચોરી થઈ હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow