ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષાને લઈ મોટી અપડેટ, એક્ઝામ તારીખમાં કરાયો ફેરફાર, જાણો કારણ

ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષાને લઈ મોટી અપડેટ, એક્ઝામ તારીખમાં કરાયો ફેરફાર, જાણો કારણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા લેવાની હતી. જે પ્રિલિમનરી પરીક્ષા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમ્યાન યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા તે સમયગાળામાં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ યોજાવાનો હોઈ પરીક્ષા મોડી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

27 જાન્યુઆરીના રોજ યોજાશે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ
વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે.આ વર્ષે પરીક્ષા પે ચર્ચા 27 જાન્યુઆરી 2023 નાં રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. વર્ષ 2018 માં પહેલીવાર વડાપ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. ત્યારે દર વર્ષે વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે.

પુસ્તકોમાં જે વાંચીએ છીએ તે સરળતાથી રમતમના મેદાનમાંથી શીખી શકાય-વડાપ્રધાન
ગત વર્ષે વડાપ્રધાને કહ્યું કે, 'રમ્યા વિના કોઈ ખીલી શકતું નથી. આપણે આપણા વિરોધીઓના પડકારોનો સામનો કરતા શીખીએ છીએ. આપણે પુસ્તકોમાં જે વાંચીએ છીએ તે રમતના મેદાનમાંથી સરળતાથી શીખી શકાય છે. જો કે, અત્યાર સુધી રમતગમતને શિક્ષણથી અલગ રાખવામાં આવતી હતી. પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે અને વધુ ફેરફારો ટૂંક સમયમાં આવવાના છે.'

તણાવમાંથી કેવી રીતે બહાર આવવું?
ગત વર્ષે PM મોદીએ કહ્યું કે, 'તમે જે જાણો છો તેમાં આત્મવિશ્વાસ રાખો અને બીજાની દેખાદેખી કરવાને બદલે સહજ રીતે પોતાનો રૂટીન ચાલુ રાખો. ઉત્સાહપૂર્વક પરીક્ષામાં સામેલ થાઓ.'

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow