પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નબાવશાહ જિલ્લામાં રવિવારે બપોરે એક ટ્રેન દુર્ઘટનામાં 25 લોકોનાં મોત થયાં છે. જ્યારે 163થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 31ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ- દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા. અત્યાર સુધીમાં 25 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 31 લોકો ગંભીર રીતે ઘાયલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર - ભારે વરસાદને કારણે ટ્રેકને નુકસાન થયું હતું અને તેના કારણે આ અકસ્માત થયો હતો.

લાહોરમાં મીડિયા સાથે વાત કરતા રેલવે અને ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે 25 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હાલમાં ઈજાગ્રસ્તોના જીવ બચાવવાની પ્રાથમિકતા છે. આ પછી ઘટનાની તપાસ કરવામાં આવશે.

અહેવાલો અનુસાર ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઊતરી જવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત બાદ નજીકની હોસ્પિટલોમાં ઈમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ સુક્કુર મોહમ્મદુર રહેમાનને ટાંકીને જણાવ્યું છે કે ટ્રેનનાં 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે. પોલીસનું કહેવું છે કે ટ્રેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. નજીકની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow