ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

15 વર્ષ પછી ટીમ ઈન્ડિયા પાસે T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી. હવે ભારતીય ટીમ 18 નવેમ્બરે વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.

રોહિત શર્મા અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ T20 સિરીઝમાં નથી રમી રહ્યા. આવી પરિસ્થિતિમાં યુવા ખેલાડી ઈશાન કિશન ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઈશાન એક વિસ્ફોટક પ્લેયર છે. તેનો સ્ટ્રાઈક રેટ 131.15નો છે. ઈશાનનો સાથ દીપક હુડ્ડા આપી શકે છે. વર્લ્ડ કપની ટીમમાં દીપકને જગ્યા મળી હતી, પરંતુ તેને ખૂબ ઓછી તક મળી.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ t20 સિરીઝમાં નંબર 3 પર સ્ટાર પ્લેયર શ્રેયલ અય્યર બેટિંગ કરવા ઉતરી શકે છે. શ્રેયસ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. નંબર 4 પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. નંબર 5 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતરી શકે છે. બોલિંગમાં પણ આ ખેલાડી યોગદાન આપી શકે છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત હોઈ શકે છે. તેને નંબર 6 પર તક મળી શકે છે. તે મેત ફિનિશરની પણ ભૂમિકા ભજવી શકે છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક પર ભરોષો કર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow