ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

15 વર્ષ પછી ટીમ ઈન્ડિયા પાસે T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી. હવે ભારતીય ટીમ 18 નવેમ્બરે વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.

રોહિત શર્મા અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ T20 સિરીઝમાં નથી રમી રહ્યા. આવી પરિસ્થિતિમાં યુવા ખેલાડી ઈશાન કિશન ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઈશાન એક વિસ્ફોટક પ્લેયર છે. તેનો સ્ટ્રાઈક રેટ 131.15નો છે. ઈશાનનો સાથ દીપક હુડ્ડા આપી શકે છે. વર્લ્ડ કપની ટીમમાં દીપકને જગ્યા મળી હતી, પરંતુ તેને ખૂબ ઓછી તક મળી.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ t20 સિરીઝમાં નંબર 3 પર સ્ટાર પ્લેયર શ્રેયલ અય્યર બેટિંગ કરવા ઉતરી શકે છે. શ્રેયસ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. નંબર 4 પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. નંબર 5 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતરી શકે છે. બોલિંગમાં પણ આ ખેલાડી યોગદાન આપી શકે છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત હોઈ શકે છે. તેને નંબર 6 પર તક મળી શકે છે. તે મેત ફિનિશરની પણ ભૂમિકા ભજવી શકે છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક પર ભરોષો કર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow