મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને 25 ઓક્ટોબરથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગે ગુરુવારે (2 નવેમ્બર) તેમના ઉપવાસ સમાપ્ત કર્યા. મનોજે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. આ પહેલા નિવૃત્ત જજ સુનીલ શુક્રે અને એમજી ગાયકવાડ મનોજને મળ્યા હતા. તેમણે મનોજને કહ્યું કે કાયમી અનામત આપવા માટે સરકાર કાયદેસર રીતે શું કરશે.

આ પછી 4 મંત્રીઓ ધનંજય મુંડે, સંદીપન ભુમરે, અતુલ સાવે, ઉદય સામંતનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું અને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે કાયમી મરાઠા અનામત આપવાનું વચન પણ આપ્યું. આ પછી મનોજ જરાંગે ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

બુધવારે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષો એ વાત પર સહમત થયા કે મરાઠા સમુદાયને અનામત મળવું જોઈએ. આ બેઠકમાં શરદ પવાર સહિત 32 પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow