મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને 25 ઓક્ટોબરથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગે ગુરુવારે (2 નવેમ્બર) તેમના ઉપવાસ સમાપ્ત કર્યા. મનોજે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. આ પહેલા નિવૃત્ત જજ સુનીલ શુક્રે અને એમજી ગાયકવાડ મનોજને મળ્યા હતા. તેમણે મનોજને કહ્યું કે કાયમી અનામત આપવા માટે સરકાર કાયદેસર રીતે શું કરશે.

આ પછી 4 મંત્રીઓ ધનંજય મુંડે, સંદીપન ભુમરે, અતુલ સાવે, ઉદય સામંતનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું અને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે કાયમી મરાઠા અનામત આપવાનું વચન પણ આપ્યું. આ પછી મનોજ જરાંગે ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

બુધવારે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષો એ વાત પર સહમત થયા કે મરાઠા સમુદાયને અનામત મળવું જોઈએ. આ બેઠકમાં શરદ પવાર સહિત 32 પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow