મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને 25 ઓક્ટોબરથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગે ગુરુવારે (2 નવેમ્બર) તેમના ઉપવાસ સમાપ્ત કર્યા. મનોજે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. આ પહેલા નિવૃત્ત જજ સુનીલ શુક્રે અને એમજી ગાયકવાડ મનોજને મળ્યા હતા. તેમણે મનોજને કહ્યું કે કાયમી અનામત આપવા માટે સરકાર કાયદેસર રીતે શું કરશે.

આ પછી 4 મંત્રીઓ ધનંજય મુંડે, સંદીપન ભુમરે, અતુલ સાવે, ઉદય સામંતનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું અને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે કાયમી મરાઠા અનામત આપવાનું વચન પણ આપ્યું. આ પછી મનોજ જરાંગે ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

બુધવારે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષો એ વાત પર સહમત થયા કે મરાઠા સમુદાયને અનામત મળવું જોઈએ. આ બેઠકમાં શરદ પવાર સહિત 32 પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow