તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં 1999માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા હતા.

અંકારામાં રહેતા ઓમેર અનસે કહ્યું- હું લગભગ 4 વાગે જાગી ગયો હતો. મકાન ધ્રૂજી રહ્યું હતું. રૂમમાં રાખેલી બુકશેલ્ફ અચાનક પડી ગઈ. હું ડરી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ગયા અઠવાડિયે જ વહીવટીતંત્રે ભૂકંપ નિવારણ માટે કવાયત હાથ ધરી હતી. ભૂકંપના આટલા ભારે આંચકા અંકારામાં મેં પહેલા ક્યારેય અનુભવ્યા નથી. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિએ ભૂકંપને સૌથી ખતરનાક ગણાવ્યો હતો. અબ્દીફાતાહ અદાને કહ્યું- મને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. એપાર્ટમેન્ટમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે. બધા બહાર આવ્યા અને રસ્તા પર ભેગા થયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow