તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં 1999માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા હતા.

અંકારામાં રહેતા ઓમેર અનસે કહ્યું- હું લગભગ 4 વાગે જાગી ગયો હતો. મકાન ધ્રૂજી રહ્યું હતું. રૂમમાં રાખેલી બુકશેલ્ફ અચાનક પડી ગઈ. હું ડરી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ગયા અઠવાડિયે જ વહીવટીતંત્રે ભૂકંપ નિવારણ માટે કવાયત હાથ ધરી હતી. ભૂકંપના આટલા ભારે આંચકા અંકારામાં મેં પહેલા ક્યારેય અનુભવ્યા નથી. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિએ ભૂકંપને સૌથી ખતરનાક ગણાવ્યો હતો. અબ્દીફાતાહ અદાને કહ્યું- મને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. એપાર્ટમેન્ટમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે. બધા બહાર આવ્યા અને રસ્તા પર ભેગા થયા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow