આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભુ માફિયાઓ ફરી સક્રિય થયા છે અને એક જગ્યાએ જ્યાં ખનીજ ચોરી પર રોક લાગે ત્યાં બીજી જગ્યાએ બેફામ ખનીજ ખનન ચાલુ થઇ જાય છે અને દિવસ રાત ભારે વાહનોની અવરજવરનો ધમધમાટ શરૂ થઇ જવા છતાં કોઇ પગલાં ન લેવાતાં ખાણ ખનીજ ખાતાની કાર્યવાહી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં બેલાણમાં ખનીજ ચોરી બંધ થઈ ત્યાં ફરી એકવાર ભાદર નદીમાં ટાસ ની ચોરી બેફામ ચાલુ છે. છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સરકાર દ્વારા ખનીજ ચોરી પર રોક લગાવાઇ છે, પણ અહીં તો દિવસે અને રાત્રે બે ફામ ખનીજ ચોરી ચાલુ છે.

વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ખનીજ શાખામાંથી પણ કોઈ અધિકારી ડોકાતા નથી. ભાદર નદીમાં તેમજ બુઢણપરી નદી પર હવે ખનીજ ચોરી ચાલુ છે, દિવસે તો ઠીક રાત્રે પણ વાહનોનો ધમધમાટ ચાલુ રહે છે. આટકોટ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે. અગાઉ પણ અહીં ખનીજ ચોરી અટકાવવામાં આવી હતી પણ હવે ફરી બે દિવસથી ધમધમાટ શરૂ થયો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, મામલતદાર પગલાં ભરશે કે ટીડીઓ પગલાં લેશે? એ જોવાનું રહ્યું. ભેલાણમાં ચાલતી ઘણી ખનીજ ચોરી પછી બંધ થઇ, ત્યાં હવે ખનીજ ચોરોએ નવી જગ્યાએ ખનીજ ચોરી ચાલુ કરી છે. જેસીબી મશીન ટ્રેક્ટર સાથે બે દિવસથી આંટાફેરા ચાલુ છે. ભાદર નદીમાં ખોદકામ ચાલુ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow