મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

દિલ્હી:  ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલ કફ સીરપ પીવાથી 70 બાળકોનાં મૃત્યુ મુદે કેન્દ્ર સરકારે મોટી માહિતી આપી છે. કેન્દ્ર સરકારે આ કફસીરપ બનાવતી ભારતીય કંપની મેડન ફાર્માને ક્લીનચીટ આપી દીધેલ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું કે મેડન ફાર્માનું સીરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે અને તેમાં કોઇપણ પ્રકારની ભેળસેળ નથી મળી આવી.

આફ્રિકામાં 70 બાળકોનું કફ સીરપથી થયું હતું મોત
મેડન ફાર્મા પર એ સમયે પ્રશ્નો ઉઠ્યાં હતાં જ્યારે આફ્રિકાનાં ગેમ્બિયામાં આ કંપનીની કફ સીરપ પીવાથી 70 બાળકોનું મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદે મોટો ખુલાસો રાજ્યસભામાં કરેલ છે જેમાં મેડન ફાર્માને ક્લિનચીટ આપી દેવાઇ છે.

ઘટના બાદ ભારતમાં રચાઇ સ્પેશિયલ કમિટી
ગામ્બિયામાં થયેલ બાળકોનાં મોત બાદ કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયે ડો.વાઇ.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. ચાર સદસ્યોની આ સમિતિમાં આરોગ્ય સંબંધિત સ્થાઇ રાષ્ટ્રીય સમિતિનાં ઉપાધ્યક્ષ ડો.વાઇ.કે.ગુપ્તા, પુને સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન વિભાગનાં ડો. પ્રજ્ઞા યાદવ, નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય  રોગ નિયંત્રણ કેન્દ્રનાં મહામારી વિજ્ઞાન વિભાગનાં ડો. આરતી બહલ અને  CDSCOનાં એ.કે.પ્રધાન સમાવિષ્ટ છે. ભારતમાં બનેલ 4 કફ સીરપથી ગામ્બિયામાં સંભવત:  66 જેટલા બાળકોનાં મોત મામલે WHO માટે ઘટનાનું રિપોર્ટ અને તપાસ માટે સરકારને 4 લોકોની વિશિષ્ટ કમિટી બનાવવા માટે જણાવાયું હતું.

Read more

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને

By Gujaratnow
શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિ

By Gujaratnow
દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈ, ડૉ. શાહીન સઈદ, ડૉ. આદિલ અહેમદ રાથર

By Gujaratnow
સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માત્ર ઘણી નોકરીઓ જ નહીં, પરંતુ ભવિષ્યમાં મોટી કંપનીઓના સીઈઓનું સ્થાન પણ લઈ

By Gujaratnow