ભારતીયો પ્રત્યે પ્રેમ

ભારતીયો પ્રત્યે પ્રેમ

ભારતીયમૂળના ઋષિ સુનક બ્રિટનનાં વડાપ્રધાન બન્યા પછી ભારતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમેરિકાનાં એક શહેરમાં પણ લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં લોકો સુનકને પોતાની વચ્ચે જોઇને ભારે ખુશી અનુભવી રહ્યા છે. શહેરનાં સાન્તા મોનિકામાં કોસ્ટા કોફી રોસ્ટર્સનાં મેનેજર નમન કાર્તિકે ભાસ્કરને જણાવ્યું હતું કે જ્યારથી સુનક બ્રિટનનાં વડાપ્રધાન બન્યા છે ત્યારથી અહીંના લોકો વચ્ચે સુનકનાં કિસ્સા જ સાંભળવા મળી રહ્યા છે.

તેઓ પોતે પણ અહીં આવનાર ગ્રાહકોને ખુશી સાથે જણાવે છે કે સુનક અને તેમનામાં બે સમાનતા રહેલી છે. પહેલી સમાનતા એ છે કે સુનક અને તેઓ પોતે ભારતીય મૂળના છે. બીજી સમાનતા એ છે કે સુનક પણ સાન ફ્રાન્સિસ્કોમાં રહી ચૂક્યા છે. હકીકતમાં સુનક એમબીએના અભ્યાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના સાન્તા મોનિકામાં રહેતા હતા.

અહીં એક સ્થાનિક નિવાસી કાર્લ ગ્રેવોઇસ કહે છે કે સુનક 2004માં ફુલબ્રાઇટ સ્કોલરશિપ પર અમેરિકા આવ્યા હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એસોસિએટ ડીન રહી ચૂકેલા ડેરિક બોલ્ટન કહે છે કે સુનક પહેલાથી જ પ્રતિભાશાળી હતા. સુનક વડાપ્રધાન બન્યા છે તે બાબત હેરાન કરનાર નથી. સુનક સક્ષમ વ્યક્તિ છે. સુનક હંમેશાંથી હોશિયાર હતા. તેઓ આજે પણ તેમના સંપર્કમાં છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow