આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 29 નવેમ્બર, મંગળવારે કરવામાં આવશે. આ વ્રત કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો મુખ્ય તહેવાર છે. અહીં ભગવાન શિવના અવતાર ખંડોબાને ખેડૂતોના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

આ દિવસે ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ ભગવાન કાર્તિકેયની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.

ચંપા ષષ્ઠીને છઠ્ઠ પર્વ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે શિવલિંગને રીંગણ અને બાજરી અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને આ તહેવાર મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપને સમર્પિત છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને અને સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને ગંગાજળ અર્પણ કરવામાં આવે છે. આ પછી ફૂલ, અબીર, બેલના પાન ચઢાવવામાં આવે છે અને દેશી ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow