લોકો વધારાના સમયનો ઉપયોગ બહાર ફરવાને બદલે ઊંઘવામાં કરે છે

લોકો વધારાના સમયનો ઉપયોગ બહાર ફરવાને બદલે ઊંઘવામાં કરે છે

દુનિયાના અનેક દેશોમાં સપ્તાહમાં કામના દિવસોને લઇને મંથન ચાલી રહ્યું છે. અમેરિકામાં સપ્તાહમાં પરંપરાગત 5 દિવસને બદલે 4 દિવસ કામ કરવાનો એક પાઈલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કામ કરવાના દિવસોમાં ઘટાડા બાદ જીવનમાં આવેલા ફેરફારોને લઇને થયેલા રિસર્ચમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે.

રિસર્ચ અનુસાર લોકો વધુ મળેલા સમયનો ઉપયોગ ઊંઘવામાં કરી રહ્યા છે. બોસ્ટન કોલેજના અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી જુલિયટ શોર અનુસાર તેમના ગ્રૂપે વૈશ્વિક સ્તર પર 180 સંસ્થાઓને ટ્રેક કરી હતી, જેમણે 6 મહિનાથી 4 કાર્યકારી દિવસની સિસ્ટમ અપનાવી હતી.

16 કંપનીઓના રિસર્ચમાં સામે આવ્યું કે વધુ સમયમાં કર્મચારીઓએ બહાર ફરવા અથવા તો મિત્રો-સંબંધીઓ સાથે સમય વિતાવવાને બદલે વધુ સુવાનું શરૂ કર્યું. હવે તેઓ 7 કલાકને બદલે 8 કલાક સૂવે છે. શોરે કહ્યું કે આ તારણથી પણ હું પણ ચકિત છું કે આટલો ઝડપી બદલાવ થઇ રહ્યો છે અને મોટા પાયે થઇ રહ્યો છે. પહેલાં 42.6% લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા.

ઓછી ઊંઘ લેનારની સંખ્યા ઘટીને હવે 14.2% થઇ ચૂકી છે.ઓછા કામકાજના દિવસનો ખ્યાલ તાજેતરમાં ચર્ચામાં છે. એક તરફ ટેસ્લાના ઇલોન મસ્કથી લઇને જેપી મોર્ગન ચેસ એન્ડ કંપનીના પ્રમુખ જેમી ડિમન જેવા બૉસ કર્મચારીઓને મહામારી પૂર્વેના સમયની માફક ઓફિસ આવવાનો નિર્દેશ આપે છે તો બીજી તરફ કામકાજના દિવસો ઘટાડવાને લઇને મોટા પાયે અવાજ ઊઠી રહ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow