ભારતમાં લોજિસ્ટિક્સ ચીન કરતા બમણું મોંઘું

ભારતમાં લોજિસ્ટિક્સ ચીન કરતા બમણું મોંઘું

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ હેડ અતુલ કેશપ ભાસ્કર જૂથ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતને પણ ચીનની જેમ જ લોજિસ્ટિક્સ સસ્તા જોઇએ. તેના કારણે અમેરિકાની સાથે બિઝનેસ વધશે. ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કરી ચુકેલા અતુલ મુળ પંજાબનાં છે. કેશપે કહ્યું છે કે ભારતે કેટલીક અડચણોને દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે. પરંતુ આજે પણ કેટલીક વેપારી અડચણો છે. જેમ કે ભારતમાં લોજિસ્ટિક્સ હજુ પણ મોંઘા છે. ચીનની પાસે એક વિકસિત મૂળભૂત માળખુ છે. આવુ એટલા માટે છે કેમ કે ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર છે. સરકાર આદેશ આપે છે અને કામ થઇ જાય છે. પરંતુ ભારત જેવા લોકશાહી દેશમાં લોકોના જુદા જુદા અભિપ્રાય છે.

બીજી બાબત એ છે કે અમેરિકામાં હવે જ્યારે પણ બિઝનેસ વિવાદ થાય છે ત્યારે કોર્ટ ઝડપથી આ વિવાદોનો ઉકેલ લાવવાનાં પ્રયાસ કરે છે. તેઓ ભારતના ન્યાયતંત્ર અથવા તો જજ પર સવાલ કરી રહ્યા નથી. પરંતુ એટલુ કહેવા માંગે છે કે કંપનીઓના વિવાદોને વહેલી તકે ઉકેલાય તો રોકાણકારોનો વિશ્વાસ વધશે. ભારત સરકારના આર્થિક સુધારાના પ્રયાસ છતાં અમેરિકી નિકાસકારોને ટૈરિફ અને બિન ટેરિફ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow