અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. લોકો સ્વસ્થ રહેવા માટે અવનવી વાનગીઓ અને લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે છે. અળસીના બીજ અને ગુંદરના લાડુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બંનેમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગુંદર અને અળસી બંનેનો ઉપયોગ અલગ-અલગ બીમારીના ઈલાજ માટે કરવામાં આવે છે. તો એવું નથી કે, અળસીના બીજ અને ગુંદરને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે અળસી અને ગુંદરમાંથી બનાવેલા લાડુ ખાઈ શકાય છે. અળસી અને ગુંદર બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે, તેથી જો લાડુ બનાવીને ખાવામાં આવે તો શરીરને ફાયદો થશે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અળસી અને ગુંદરના લાડુનું સેવન કરવું જ જોઈએ. ડાયેટિશિયન ડૉ.અન્નુ અગ્રવાલ પાસેથી જાણીએ તેમના ફાયદા વિશે.

અળસી અને ગુંદરના લાડુ ખાવાનાં ફાયદા

પાચનક્રિયામાં સુધારો થાય
અળસીમાં કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વ ભરપૂર પ્રમાણમાં હોય છે તો ગુંદરમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકોએ અળસી અને ગુંદરના લાડુને ડાયટમાં સામેલ કરવા જોઈ. આ લાડુ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. અળસી અને ગુંદરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર ખોરાકને પચાવવાનું કામ કરે છે તો સાથે જ ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. કબજિયાત અને અપચોથી છુટકારો મેળવવા માટે અળસીના બીજ અને ગુંદરના લાડુ એક સાથે ખાઈ શકો છો.

Read more

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવે

By Gujaratnow
શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નને 16 વર્ષ થયા છે. આ સમય દરમિયાન, બંનેએ દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાને સાથ આપ્યો છે. 2009માં લગ્ન કરતાં પહેલાં, બંને

By Gujaratnow
રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટ શહેરમાં 15મી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગવોરમાં થયેલા ફાયરીંગના સીસીટીવી સામે આવ્યા છે. 6 મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્

By Gujaratnow
કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા 3 પરિવા

By Gujaratnow