એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

પંચમહાલમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના 5 સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. 2020માં મીરાપુર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મામલે તપાસ હાથ ધરતા જમીન વિવાદ મુદ્દે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ કેસ ચાલી જતા હત્યા પ્રકરણ કોર્ટે એક જ  પરિવારના 3 પુરુષ અને 2 મહિલાને આજીવન કેદની આકરી રજા ફટકારી છે.

શુ હતી સમગ્ર ઘટના

2020 મીરાપુરમાં યુવાનની હત્યનો બનાવ સામે આવ્યો હતો.આ ઘટનાની વિગત અનુસાર આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયાની જમીન જીતુંભાઈ રાવળએ લીધી હતી. ત્યારબાદ આ જમીન જીતુભાઈ રાવળ પાસેથી મૃતક ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધી હતી. આ જમીન જોવા માટે ભરતભાઈ હાજાભાઈ ચારણા 5 જૂન 2020 ના રોજ મીરાપુર ગામે ગયા હતા. જ્યા આરોપીઓ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો. તેમજ ધમકી આપી કહ્યું કે, અમે આ જમીન કોઈને વેચી નથી તો તમે શું કામ આવ્યા છો તેમ કહી બોલાચાલી તેમજ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી તથા ભરતભાઇ ચારણ  સાથે ઝપાઝપી કરી તેમજ આરોપી દલપત તથા તમામ આરોપીઓએ ભેગા થઈ અને ભરતભાઈ ચારણની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ મામલે ભારતીય દંડ સંહીતાની કલમ – 143, 147, 148, 149,302, 307, 504, 506(2)  અંગેની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી.દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ ગુનામાં સાથ આપ્યો હતો. જેને લઈ દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કરેલ છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow