એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

પંચમહાલમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના 5 સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. 2020માં મીરાપુર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મામલે તપાસ હાથ ધરતા જમીન વિવાદ મુદ્દે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ કેસ ચાલી જતા હત્યા પ્રકરણ કોર્ટે એક જ  પરિવારના 3 પુરુષ અને 2 મહિલાને આજીવન કેદની આકરી રજા ફટકારી છે.

શુ હતી સમગ્ર ઘટના

2020 મીરાપુરમાં યુવાનની હત્યનો બનાવ સામે આવ્યો હતો.આ ઘટનાની વિગત અનુસાર આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયાની જમીન જીતુંભાઈ રાવળએ લીધી હતી. ત્યારબાદ આ જમીન જીતુભાઈ રાવળ પાસેથી મૃતક ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધી હતી. આ જમીન જોવા માટે ભરતભાઈ હાજાભાઈ ચારણા 5 જૂન 2020 ના રોજ મીરાપુર ગામે ગયા હતા. જ્યા આરોપીઓ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો. તેમજ ધમકી આપી કહ્યું કે, અમે આ જમીન કોઈને વેચી નથી તો તમે શું કામ આવ્યા છો તેમ કહી બોલાચાલી તેમજ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી તથા ભરતભાઇ ચારણ  સાથે ઝપાઝપી કરી તેમજ આરોપી દલપત તથા તમામ આરોપીઓએ ભેગા થઈ અને ભરતભાઈ ચારણની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ મામલે ભારતીય દંડ સંહીતાની કલમ – 143, 147, 148, 149,302, 307, 504, 506(2)  અંગેની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી.દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ ગુનામાં સાથ આપ્યો હતો. જેને લઈ દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કરેલ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow