છૂટા કરાયેલા ભારતીય IT સ્ટાફને US સૈન્ય-ઇન્ટેલિજન્સમાં નોકરી

છૂટા કરાયેલા ભારતીય IT સ્ટાફને US સૈન્ય-ઇન્ટેલિજન્સમાં નોકરી

અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ટિ્વટરમાંથી આશરે 70 હજાર ભારતીય ટેક્નોક્રેટ્સની છટણી થઇ છે. તેમાં મોટા ભાગના ભારતીય છે, જે અમેરિકામાં એચ-1બી અને એલ1 વિઝા પર અમેરિકામાં રહે છે. જો 60 દિવસમાં તેમને બીજી નોકરી નહીં મળે તો તેમણે અમેરિકામાંથી જતું રહેવું પડશે.

આ દરમિયાન અમેરિકન સુરક્ષા મંત્રાલય અને ઇન્ટેલિજન્સે છટણીનો શિકાર થયેલા ટેક્નોક્રેટ્સને નોકરી આપવાની યોજના ઘડી છે. આ માટે એચ-1 વિઝા કેટેગરી પણ બનાવાઇ છે. તે અંતર્ગત છટણીનો શિકાર ભારતીયોને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.

અમેરિકામાં અત્યાર સુધી સુરક્ષા મંત્રાલયમાં અમેરિકન નાગરિકો અને ગ્રીનકાર્ડ હોલ્ડરને જ નોકરી અપાતી. આવું પહેલીવાર છે કે એચ1 વિઝા કેટેગરી ધરાવતા ઉમેદવારોને સુરક્ષા મંત્રાલયમાં કામ કરવા યોજના તૈયાર કરાઇ હોય. સાઈબર સિક્યોરિટીના ડિરેક્ટર રોબ જોયસનું કહેવું છે કે છટણીનો ભોગ બનેલા કર્મીઓનો, ખાસ કરીને ભારતીય ટેલેન્ટનો, સારો ઉપયોગ થઇ શકે છે.

ત્રણ કારણ... અમેરિકાએ આ પગલું કેમ લીધું
1. ચીનનો પડકારઃ ચીન સાઈબર ઇન્ટેલિજન્સ, ડિફેન્સ ઉપકરણોના ઉત્પાદનમાં અમેરિકાને પડકારી રહ્યું છે. અમેરિકન સુરક્ષા મંત્રાલયમાં ટેક્નોક્રેટ્સના 30% હોદ્દા ખાલી છે. બાઇડેન સરકારની નીતિ છટણી કરાયેલા યુવાનોને ભરતી કરવાની છે.
2. ટેક્નોક્રેટ્સની અછતઃ અમેરિકન એજ્યુકેશન સિસ્ટમમાં અભ્યાસ કરનારા 65% વિદ્યાર્થી ડિગ્રી કોર્સ નથી કરતા એટલે સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ટેક્નોક્રેટ્સની અછત છે. અમેરિકામાં 75% ભારતીય પાસે આ ક્ષેત્રોની જ ડિગ્રી છે.

3. યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠઃ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરક્ષા અને સાઈબર વૉરની દિશામાં નવા બોધપાઠ મળ્યા છે. અમેરિકાએ ફ્યૂચર વૉરફેરની તૈયારી કરવાની છે, જેના માટે તેમને ટેક્નોક્રેટ્સ જોઇએ છે.

ભારત-અમેરિકા આઇસીઇટી કરારની પણ અસરઃ ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં જ થયેલા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (આઇસીઇટી)ની પણ અસર છે. તે અમેરિકન સુરક્ષા મંત્રાલયે ભારતીય ટેક્નોક્રેટ્સ માટે દ્વાર ખોલ્યાં છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow