કચ્છ કડવા પાટીદાર સમાજે સતપંથ સાથે છેડો ફાડ્યો

કચ્છ કડવા પાટીદાર સમાજે સતપંથ સાથે છેડો ફાડ્યો

સનાતની શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે રવિવારે યોજાયેલા કચ્છ કડવા પાટીદારોના પ્રથમ સનાતની અધિવેશનમાં સતપંથની સમસ્યાથી સનાતની જ્ઞાતિને મુક્ત કરવા સતપંથ ધર્મ અને સતપંથ સમાજને છોડનારા લોકોને સનાતન જ્ઞાતિમાં સ્વીકારવાની આખરી તારીખ 14 મે 2023 નક્કી કરવાનો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવતાં છેલ્લા લાંબા સમયથી કચ્છના કડવા પાટીદાર સમાજમાં ફેલાયેલી ઉતેજના આજે પરાકાષ્ઠાએ પહોંચી છે.

રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર
સવારથી જ મહોત્સવ સ્થળે ઉમટી પડેલા 25 હજાર સનાતની પાટીદારોનો ઉન્માદ ચરમસીમાએ હતો. 2010 માં યોજાયેલા સ્વર્ણિમ મહોત્સવમાં થયેલા ‘ઘર્ષણ’ને કારણે આ વખતે પણ ‘નવાજુની’ થવાની આશંકાથી મહોત્સવ શરૂ થયો ત્યારથી સનાતની મુહિમ ચલાવનારા અગ્રણીઓ પુરા જુસ્સા સાથે આ વખતે સતપંથ સમસ્યાનો અંત લાવવાની નેમ સાથે છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા.અબજીભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ જ્ઞાતિ અધિવેશનમાં જ્ઞાતિ રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા
આજે વહેલી સવારના કચ્છના વાંઢાય, દેશલપર, માંડવી, વિરાણી મોટી, દયાપર અને નેત્રાથી નીકળેલી સનાતની પાટીદાર રત્ન ગૌરવયાત્રાઓનું મહોત્સવ સ્થળે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાણી મોટીથી નખત્રાણા સુધીની સનાતની દોડ પણ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા હતા. જ્ઞાતિ સુધારક રતનશીભાઇ ખેતાણીના કાર્યને ઉજાગર કરવા પુસ્તકનું વિમોચન પણ સભાના હર્ષનાદો વચ્ચે કરવામાં આવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow