કચ્છ કડવા પાટીદાર સમાજે સતપંથ સાથે છેડો ફાડ્યો

કચ્છ કડવા પાટીદાર સમાજે સતપંથ સાથે છેડો ફાડ્યો

સનાતની શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે રવિવારે યોજાયેલા કચ્છ કડવા પાટીદારોના પ્રથમ સનાતની અધિવેશનમાં સતપંથની સમસ્યાથી સનાતની જ્ઞાતિને મુક્ત કરવા સતપંથ ધર્મ અને સતપંથ સમાજને છોડનારા લોકોને સનાતન જ્ઞાતિમાં સ્વીકારવાની આખરી તારીખ 14 મે 2023 નક્કી કરવાનો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવતાં છેલ્લા લાંબા સમયથી કચ્છના કડવા પાટીદાર સમાજમાં ફેલાયેલી ઉતેજના આજે પરાકાષ્ઠાએ પહોંચી છે.

રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર
સવારથી જ મહોત્સવ સ્થળે ઉમટી પડેલા 25 હજાર સનાતની પાટીદારોનો ઉન્માદ ચરમસીમાએ હતો. 2010 માં યોજાયેલા સ્વર્ણિમ મહોત્સવમાં થયેલા ‘ઘર્ષણ’ને કારણે આ વખતે પણ ‘નવાજુની’ થવાની આશંકાથી મહોત્સવ શરૂ થયો ત્યારથી સનાતની મુહિમ ચલાવનારા અગ્રણીઓ પુરા જુસ્સા સાથે આ વખતે સતપંથ સમસ્યાનો અંત લાવવાની નેમ સાથે છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા.અબજીભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ જ્ઞાતિ અધિવેશનમાં જ્ઞાતિ રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા
આજે વહેલી સવારના કચ્છના વાંઢાય, દેશલપર, માંડવી, વિરાણી મોટી, દયાપર અને નેત્રાથી નીકળેલી સનાતની પાટીદાર રત્ન ગૌરવયાત્રાઓનું મહોત્સવ સ્થળે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાણી મોટીથી નખત્રાણા સુધીની સનાતની દોડ પણ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા હતા. જ્ઞાતિ સુધારક રતનશીભાઇ ખેતાણીના કાર્યને ઉજાગર કરવા પુસ્તકનું વિમોચન પણ સભાના હર્ષનાદો વચ્ચે કરવામાં આવ્યું હતું.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow