કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સિંધનો પ્રદેશ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પણ સભ્યતા અનુસાર તે હંમેશા ભારતનો ભાગ રહેશે. અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, કોણ જાણે ક્યારે સરહદ બદલાઈ જાય અને કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય.

રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં એક સિંધી સંમેલનને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે લાલ કૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે (અડવાણી) તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, હજુ પણ સિંધને ભારતથી અલગ માનતા નથી.

1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પ્રાંત પાકિસ્તાનનો ભાગ બન્યો. તે પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે, જેની રાજધાની કરાચી છે. આ પ્રાંતમાં ઉર્દૂ, સિંધી અને અંગ્રેજી બોલાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow