ખરિફમાં ડુંગળીનું ઉત્પાદન 13% ઘટી 9.5 મિ. ટન રહેશે

ખરિફમાં ડુંગળીનું ઉત્પાદન 13% ઘટી 9.5 મિ. ટન રહેશે

દેશમાં ખરીફ સિઝન 2022-23 દરમિયાન વાવેતર વિસ્તારમાં ઘટાડો તેમજ નીચી ઉત્પાદકત્તાના કારણે ડુંગળીનું ઉત્પાદન 13 ટકા ઘટીને 9.5 મિલિયન ટન રહેવાની ધારણા છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ખરીફ સિઝન 2021-22 દરમિયાન, ડુંગળીનું કુલ ઉત્પાદન 10.8 મિલિયન ટન રહ્યું હતું. જો કે રવિ સીઝનની ડુંગળીના પૂરતા જથ્થાને કારણે ખરીફ સિઝન દરમિયાન ઓછા ઉત્પાદનથી કિંમતમાં વધારાને પણ અંકુશમાં રાખી શકાશે.

રવિ સિઝન 2021-22 દરમિયાન કુલ 20 મિલિયન ટન ડુંગળીનું બમ્પર ઉત્પાદન નોંધાયું હતું. જેમાં વાર્ષિક સ્તરે 17 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ભારતમાં દર મહિને 13 લાખ ટન ડુંગળીનો વપરાશ થાય છે. જેને કારણે દેશના દરેક ઘરમાં ડુંગળી એક મહત્વનો ખાદ્યપદાર્થ બન્યો છે.

દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 13.3 મિલિયન ટન, મધ્યપ્રદેશમાંથી 4.7 મિલિયન ટન, કર્ણાટકમાંથી 2.7 મિલિયન ટન અને ગુજરાતમાંથી 2.5 મિલિયન ટન ડુંગળીનો જથ્થો આવે છે. દેશના કુલ ઉત્પાદનમાં આ ચાર રાજ્યોનો હિસ્સો 75 ટકા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આબોહવામાં સતત બદલાવને કારણે પાકની ઉપજને અસર થઇ હતી તેમજ ચોમાસાને કારણે ખરીફ સિઝનના પાકને પણ નુકસાન થયું હતું જેને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે અને કિંમતો પણ વધી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow