ખેરગામમાં ચારથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ લદાયો

ખેરગામમાં ચારથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ લદાયો

ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કાયદો અને વ્યવસ્થાને નુકસાન નહીં પહોંચે તે માટે ખેરગામ પોલીસની હદ વિસ્તારમાં વધુ લોકો ભેગા થવા પર કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સોમવારે સાંજે પોલીસે ખેરગામ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી ખેરગામ દશેરા ટેકરી નજીક શનિવારે સાંજે એક મિટિંગમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો ગામેગામથી ખેરગામ પહોંચી હુમલાખોરોને પકડી પાડવાની માંગ સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા. જ્યારે રવિવારે પણ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ખેરગામ આવી પહોંચ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow