કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં, ખાલિસ્તાનીઓએ શનિવારે મોડી રાત્રે લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી અને તેના મુખ્ય દરવાજા પર તેમના પોસ્ટરો ચોંટાડી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2015માં આ મંદિરમાં પૂજા કરી હતી. પોસ્ટરમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ છે. પોસ્ટર દ્વારા કેનેડાથી નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

ખરેખર, નિજ્જર અલગતાવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડાના ગુરુદ્વારામાં 18 જૂને બે અજાણ્યા લોકોએ તેની હત્યા કરી નાખી હતી. ખાલિસ્તાનીઓનો દાવો છે કે આની પાછળ ભારત સરકારનો હાથ છે. તે જ સમયે, આ વર્ષે કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરમાં તોડફોડનો આ ત્રીજો મામલો છે.

ભારતીય દૂતાવાસના અધિકારીઓને ડરાવી રહ્યા છે
નિજ્જરની હત્યા અંગે શીખ ફોર જસ્ટિસ દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓની તસવીરો છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે જે લોકો તેમના ઘરનું સરનામું જણાવશે તેમને 10 હજાર યુએસ ડોલર આપવામાં આવશે.

ભારતના યુવાનોને વિદેશમાં સ્થાયી થવાની લાલચ આપનાર ખાલિસ્તાની પન્નુ ઈનામની લાલચ આપીને કેનેડામાં અધિકારીઓમાં ગભરાટ ઉભો કરીને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow