Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

ખાલિસ્તાનીઓની ગુજરાતીઓને ધમકી- ગુજરાતમાં આવીને લડીશું

Gujaratnow1 min read
ખાલિસ્તાનીઓની ગુજરાતીઓને ધમકી- ગુજરાતમાં આવીને લડીશું

બ્રિટનમાં ખાલિસ્તાનવાદીઓએ ગુજરાતીઓ પ્રત્યે દ્વેષ વ્યક્ત કર્યો હતો. લંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં લંડનમાં ગુરુદ્વારાના દર્શને આવેલા એક ગુજરાતી સાથે એક ખાલિસ્તાની અપમાનજનક વર્તન કરતો જોવા મળે છે. વીડિયોમાં ખાલિસ્તાનવાદી ગુજરાતી વ્યક્તિને ધમકી આપતા કહે છે કે ‘તમારા લોકોએ અહીં દેખાવું જોઈએ નહીં. જો લંગરમાં જમવું હોય તો ચૂપચાપ જમીને જતા રહો. બધા જ ગુજરાતીઓને કહેજો કે આ વખતે જો લડાઈ શરૂ થશે તો ગુજરાતમાં તમારા ઘરે આવીને લડીશું.’ અહેવાલો અનુસાર વીડિયોમાં ધમકી આપના શખ્સની ઓળખ દલ ખાલસા યુકેના સભ્ય ગુરચરણ સિંહ તરીકે થઈ છે. તે ખાલિસ્તાન તરફી સંગઠનનો સક્રિય સભ્ય છે અને અવારનવાર ભારતનો વિરોધ કરતાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ખાલિસ્તાનવાદીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસના કાર્યાલય પર તિરંગો ઉતારીને ખાલિસ્તાની ઝંડો ફરકાવી દીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બાદમાં ભારતીયો દ્વારા દૂતાવાસ પર વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

Gujaratnow1 min read

Related News