કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસને ધમકી આપી

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસને ધમકી આપી

કેનેડામાં તાજેતરમાં એક રેલી કાઢીને ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને ધમકી આપી હતી. આ મુદ્દે વિદેશમંત્રી એસ. જયશંકરે સોમવારે કહ્યું કે ઉગ્રવાદી, અતિવાદી ખાલિસ્તાની વિચારસરણી ભારત અથવા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા તેના સહયોગી દેશો માટે યોગ્ય નથી. જો તો પણ આ ખાલિસ્તાનીઓને કોઈ દેશ આશરો આપશે તો તેની સીધી અસર સંબંધો પર પડશે.

હવે ભારત સરકાર કેનેડામાં હાલમાં એક રેલીમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર પ્રદર્શિત કરવાનો મુદ્દો ઉઠાવવા જઈ રહી છે. આ પોસ્ટરમાં ખાલિસ્તાન સમર્થકોએ આઠમી જુલાઈએ રેલી કાઢવાની વાત કરી છે. તેમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને નિશાન બનાવીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂને ગોળી મારીને હત્યા કરાઈ હતી. તે ભારતીયો વિરુદ્ધની હિંસામાં સામેલ હતો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow