બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમીશનમાં તોડફોડ કરી. રવિવારે સાંજે હજારોની સંખ્યામાં ખાલિસ્તાન સમર્થક હાઈ કમીશન બહાર એકઠા થયા હતાં. બિલ્ડિંગમાં ઘૂસ્યા અને તિરંગો નીચે ઉતારી લીધો.

ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની તિરંગો અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતાં. પોસ્ટર્સ ઉપર લખ્યું, ‘ફ્રી અમૃતપાલ સિંહ’ (અમૃતપાલને આઝાદ કરો), ‘વી વોન્ટ જસ્ટિસ’(અમને ન્યાય જોઈએ) અને ‘વી સ્ટેન્ડ વિથ અમૃતપાલ સિંહ’(અમે અમૃતપાલ સાથે છીએ). એક વ્યક્તિને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ કહેતા પણ સાંભળવામાં આવી. બીજી બાજુ, ભારતે આનો સખત વિરોધ કર્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સસપેન્ડ કર્યાં.

પોલીસ અમૃતપાલના 114 લોકોની ધરપકડ કરી ચૂકી છે
જોકે, અજનાલા પોલીસ સ્ટેશન ઉપર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં અભિયાન હાથ ધર્યું છે. પોલીસે રવિવારે અમૃતપાલના 34 અન્ય સાથીઓની ધરપકડ કરી. અત્યાર સુધી પોલીસ 144 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ, અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેને મોડી રાતે પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસ આ વાત નકારી રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow