કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

તાજેતરમાં જ ‘કરવાચોથ’ નો તહેવાર હતો જેમાં બધી જ સુહાગણ મહિલાએ પોતાના પતિ માટે વ્રત અને ઉપવાસ રાખીને આ તહેરવાની ઉજવણી કરી હતી. જો કે કરવાચોથ સાથે જોડાયેલ ઘણી તસ્વીરો પણ હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરતી જોવા મળી છે.

જો કે સામાન્ય લોકોએ જ ‘કરવાચોથ’ નો તહેવાર ઉજવ્યો હોય તેવું નથી, કારણ કે ઘણા બોલીવૂડ સ્ટાર્સે પણ આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં કેટરીના કૈફે પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે પહેલા ‘કરવાચોથ’ ની ઉજવી કરી હતી. આટલું જ નહિ પરંતુ અભિનેત્રીએ આ સમયના પોતાના અનુભવને લોકો સાથે શેર પણ કર્યા છે.

સુત્રો મુજબ કેટરીનાએ જણાવ્યું કે તેને ભારતીય પરંપરાઓ અને રીતરિવાજો ખૂબ જ પસંદ છે.આવી સ્થિતિમાં જયારે તેમના લગ્ન થયા અને કરાવવાચોથ વિશે ખબર પડી ત્યારથી તે તેના માટે ઉત્સાહિત હતી. જો કે આ સમયે તેણે પોતાના પતિ માટે વ્રત રાખી ઉપવાસ કર્યો હતો, આટલું જ નહિ પરંતુ ચંદ્ર જોઇને પતિ સાથે આની ઉજવણી કરી હતી.

અભિનેત્રીએ તો એવું પણ જણાવ્યું કે આ માટે તેઓએ માનસિક રીતે તૈયાર કરી હતી, કારણ કે આ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને ખૂબ ભૂખ લાગી હતી. જયારે કેટરીનાએ વધુમાં જણાવ્યું કે તેના માટે સૌથી ખાસ વાત એ હતી કે તેના પતિએ પણ તેના માટે ઉપવાસ રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેટરીનાની આ પહેલી કરાવવા ચોથ હતી.જેમાં આખા પરિવારે પણ તેમને ટેકો આપ્યો અને તહેવારને ખાસ બનાવ્યો હતો, જયારે અભિનેત્રીએ તાજેતરમાં તેમના આ ખાસ દિવસની કેટલીક તસ્વીરો પણ ચાહકો સાથે શેર કરી છે, જેમાં અભિનેત્રી ખુશ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળી છે.ચાહકો તેમની આ બધી તસ્વીરો પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow