કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

તાજેતરમાં જ ‘કરવાચોથ’ નો તહેવાર હતો જેમાં બધી જ સુહાગણ મહિલાએ પોતાના પતિ માટે વ્રત અને ઉપવાસ રાખીને આ તહેરવાની ઉજવણી કરી હતી. જો કે કરવાચોથ સાથે જોડાયેલ ઘણી તસ્વીરો પણ હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરતી જોવા મળી છે.

જો કે સામાન્ય લોકોએ જ ‘કરવાચોથ’ નો તહેવાર ઉજવ્યો હોય તેવું નથી, કારણ કે ઘણા બોલીવૂડ સ્ટાર્સે પણ આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં કેટરીના કૈફે પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે પહેલા ‘કરવાચોથ’ ની ઉજવી કરી હતી. આટલું જ નહિ પરંતુ અભિનેત્રીએ આ સમયના પોતાના અનુભવને લોકો સાથે શેર પણ કર્યા છે.

સુત્રો મુજબ કેટરીનાએ જણાવ્યું કે તેને ભારતીય પરંપરાઓ અને રીતરિવાજો ખૂબ જ પસંદ છે.આવી સ્થિતિમાં જયારે તેમના લગ્ન થયા અને કરાવવાચોથ વિશે ખબર પડી ત્યારથી તે તેના માટે ઉત્સાહિત હતી. જો કે આ સમયે તેણે પોતાના પતિ માટે વ્રત રાખી ઉપવાસ કર્યો હતો, આટલું જ નહિ પરંતુ ચંદ્ર જોઇને પતિ સાથે આની ઉજવણી કરી હતી.

અભિનેત્રીએ તો એવું પણ જણાવ્યું કે આ માટે તેઓએ માનસિક રીતે તૈયાર કરી હતી, કારણ કે આ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને ખૂબ ભૂખ લાગી હતી. જયારે કેટરીનાએ વધુમાં જણાવ્યું કે તેના માટે સૌથી ખાસ વાત એ હતી કે તેના પતિએ પણ તેના માટે ઉપવાસ રાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેટરીનાની આ પહેલી કરાવવા ચોથ હતી.જેમાં આખા પરિવારે પણ તેમને ટેકો આપ્યો અને તહેવારને ખાસ બનાવ્યો હતો, જયારે અભિનેત્રીએ તાજેતરમાં તેમના આ ખાસ દિવસની કેટલીક તસ્વીરો પણ ચાહકો સાથે શેર કરી છે, જેમાં અભિનેત્રી ખુશ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળી છે.ચાહકો તેમની આ બધી તસ્વીરો પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.