કેરળ વાઘોની સંખ્યામાં ચાર ગણો વધારો

કેરળ વાઘોની સંખ્યામાં ચાર ગણો વધારો

વન્યજીવો માનવ વસવાટના વિસ્તારોમાં આવી રહ્યા છે કે પછી માણસો જંગલોનો નાશ કરીને પ્રકૃતિ પર અતિક્રમણ કરી રહ્યા છે? કેરળમાં હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે અહીં રહેણાક વિસ્તારોમાં વાઘના હુમલાઓ સતત વધી રહ્યા છે. પાંચ જિલ્લાઓ- વાયનાડ, ઇડુક્કી, પલક્કડ, પથાનમથિટ્ટા અને તિરુવનંતપુરમના લોકો માનવભક્ષી વાઘોની હત્યાની માંગ સાથે દિનપ્રતિદિન વિરોધ કરી રહ્યા છે. રાજ્યમાં દેખાવો-ચક્કાજામ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા બની રહી છે.

બીજી તરફ 2006થી 2018 દરમિયાન વાઘની સંખ્યા 46થી વધીને 190 થઈ છે. વાઘોની વસ્તીમાં ચાર ગણો વધારો થતાં અવારનવાર વાઘ રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવતાં હુમલાની ઘટનાઓ પણ વધતી જઇ રહી છે. 2020-21માં પ્રાણીઓના હુમલાની 97 ઘટનાઓ બની હતી, જ્યારે 2021-22માં આ સંખ્યા વધીને 152 થઈ હતી. 2017થી 2022 સુધીમાં 637 લોકો માર્યા ગયા છે.

ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 79 વાઘના હુમલા નોંધાયા જ્યારે હાથીઓના 53 હુમલાઓ થઇ ચૂક્યા છે. કુલ 132 હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે. તાજેતરમાં વાયનાડમાં વાઘના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. સ્થાનિકોનો આરોપ છે કે સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow