ઘરમાં આ વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

ચંદન
નજર દોષ, ધન પ્રાપ્તિ અને ગૃહ કલેશમાંથી મુક્તિ મેળવવા માટે આ વસ્તુઓનો ધૂપમાં ઉપયોગ કરી શકાય છે. જો કોઈ જાતકની પ્રગતિમાં અડચણો આવી રહી છે અને ઘરમાં અનાવશ્યક રીતે પૈસા ખર્ચ થઇ રહ્યાં છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ચંદનનો ધૂપ આપવો જોઈએ. જેના માટે ચંદન, ઈલાયચી અને કપૂરને એકસાથે મિક્સ કરીને પ્રગટાવો. ઘરમાં તેનો ધૂપ આપવાથી સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે.

ગુગળ
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યા માટે અલગ-અલગ વસ્તુઓના ધૂપ અંગે જણાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં વારંવાર ઝગડા થાય છે તો તેના માટે ગુગળનો ધૂપ ખૂબ લાભદાયક અને ફાયદાકારક જણાવવામાં આવ્યો છે. જેનો ધૂપ આપવાથી નજર દોષ દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. ધૂપેલિયામાં ગુગળ નાખીને ઘરમાં ધૂપ આપવો જોઈએ.

કપૂર અને લવિંગ
જો કોઈ જાતક નાણાની સમસ્યાથી પીડાતો હોય. પૈસા આવે છે, પરંતુ ઘરમાં ધનની બરકત થતી નથી તો તેના માટે તમારે કપૂર અને લવિંગનો ધૂપ આપવો જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કેસર
જો કોઈ વ્યક્તિને ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓનો પ્રભાવ મહેસૂસ થઇ રહ્યો છે તો તેના માટે કેસરનો ઉપાય વધુ અસરકારક છે. જેના માટે ગાયત્રી કેસરમાં ગુગળ મિક્સ કરીને ધૂપ આપો. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી લાભ મળે છે.