કેદારનાથ: ઘોડા-ખચ્ચરના રોજના ત્રણ ફેરા

કેદારનાથ: ઘોડા-ખચ્ચરના રોજના ત્રણ ફેરા


કેદારનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને તેમના સમાનને લઈને જતાં ઘોડા-ખચ્ચર સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. રાજસ્થાનથી આવેલા ભક્ત અજયસિંહ ચૌહાણે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ગૌરીકુંડમાં ચાર ઘોડા-ખચ્ચર સવારી સાથે કેદારનાથ પાછા ફર્યા કે તરત જ તેમને નવા સવારો સાથે 18 કિમી દૂર એ જ યાત્રા પર મોકલવામાં આવી રહ્યાં છે. અજયના કહેવા પ્રમાણે ભગવાનના નામે વધુ કમાવાના લોભમાં પ્રાણીઓ સાથે અમાનવીય વર્તન કરાઈ રહ્યું છે. માત્ર 62 દિવસમાં લગભગ 90 ઘોડા અને ખચ્ચરનાં મોત થયાં છે. થાકેલા અને લાચાર ઘોડા-ખચ્ચરોને ખેંચીને બળજબરીથી ધૂમ્રપાન કરાવવાનો એક વીડિયો સામે આવ્યો છે.

હકીકતમાં, સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે ભક્તોને 18 કિમીનું અંતર ચાલતા કાપવું પડે છે. આ પદયાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે. જેઓ હેલિકોપ્ટર બુક કરાવી શકતા નથી તેઓ ખચ્ચર દ્વારા આ રસ્તે જાય છે.

ઘોડા-ખચ્ચરોના સંચાલક અને હોકર્સ વધુ કમાણીની લાલચમાં ન તો તેમને પૂરતો ઘાસચારો આપે છે, ન તો આરામ કરવા દે છે. ક્ષમતાથી વધારે કામ કરવાને કારણે તેઓ મરી રહ્યા છે. એક દિવસમાં ઘોડા-ખચ્ચરો ગૌરીકુંડથી કેદારનાથ સુધીના બેથી ત્રણ ફેરા કરે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow