કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

રાજકોટ કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ.ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા નિગમના પ્રતિનિધિશ્રી પારૂલ મહાજને જણાવ્યું હતું કે, એકતરફ ઉદ્યોગોમાં તાલીમબદ્ધ માનવબળની અછત છે, બીજીતરફ શૈક્ષિણક સંસ્થાઓમાં ઉદ્યોગોની વર્તમાન અને બદલાતી જરૂરિયાત મુજબની તાલીમ મળતી નથી. તેમણે કહ્યું કે, આ ગેપને કેમ પૂર્ણ કરવા ઉદ્યોગો પોતાની જરૂરિયાતો નિગમને જણાવે, અને એ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (જી. ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે, જે ઉદ્યોગોને આભારી છે.

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પણ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વિવિધ ઉદ્યોગ એસોસિયેશન અને યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ કૌશલ્ય વિકાસ અંગે તેમના દ્વારા કરાતા પ્રયાસોની માહિતી આપી હતી.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow