કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

રાજકોટ કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ.ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા નિગમના પ્રતિનિધિશ્રી પારૂલ મહાજને જણાવ્યું હતું કે, એકતરફ ઉદ્યોગોમાં તાલીમબદ્ધ માનવબળની અછત છે, બીજીતરફ શૈક્ષિણક સંસ્થાઓમાં ઉદ્યોગોની વર્તમાન અને બદલાતી જરૂરિયાત મુજબની તાલીમ મળતી નથી. તેમણે કહ્યું કે, આ ગેપને કેમ પૂર્ણ કરવા ઉદ્યોગો પોતાની જરૂરિયાતો નિગમને જણાવે, અને એ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (જી. ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે, જે ઉદ્યોગોને આભારી છે.

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પણ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વિવિધ ઉદ્યોગ એસોસિયેશન અને યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ કૌશલ્ય વિકાસ અંગે તેમના દ્વારા કરાતા પ્રયાસોની માહિતી આપી હતી.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow