વર્ષે એકવાર કામાખ્યા દેવી રજસ્વલા થાય છે

વર્ષે એકવાર કામાખ્યા દેવી રજસ્વલા થાય છે

આસામના ગુવાહાટીના નીલાંચલ પર્વત ઉપર આવેલું કામાખ્યા મંદિર દેશની 51 શક્તિપીઠમાંથી એક છે. માન્યતા પ્રમાણે, માતા સતીની યોનિનો ભાગ કામાખ્યા નામના સ્થળે પડ્યો હતો. ત્યારથી જ અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ. વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીનું માનવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ મંદિરમાં કોઈ ચિત્ર અને મૂર્તિ નથી. ભક્ત મંદિરમાં બનેલા એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે છે.

દેવીપુરાણ અનુસાર, માતા સતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં જ આત્મદાહ કરી લીધો હતો. ત્યાર બાદ ભગવાન શિવએ માતાનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. શિવજીના આ તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થઈ ગયું હતું. આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શરીરના ટુકડા-ટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ. કહેવાય છે કે, અહીં દેવીનો યોનિ ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. આ દરમિયાન અહીં અંબુવાચી મેળો ભરાય છે. આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow