કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલ અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશનમાં વ્યસ્ત

આ ફિલ્મમાં કાજોલની સાથે ફનામાં તેમના કો-સ્ટાર રહેલા આમિર ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. કાજોલ હાલમાં અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીને લઇને ચર્ચામાં છવાઈ છે. ફિલ્મના પ્રમોશનમાં તેમણે કોઈ કસર બાકી રાખી નથી. રેવતીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સલામ વેન્કી એક બુક પર આધારિત છે, જેમાં કાજોલ એક બિમાર યુવકની માંની ભૂમિકામાં જોવા મળશે.

આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે

ફિલ્મને હિટ કરાવવાના પ્રયાસમાં કાજોલ અત્યારે ફિલ્મનુ સારી રીતે પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એવી પણ છે કે તેમાં કાજોલ ફનાના પોતાના કો-સ્ટાર આમિર ખાનની સાથે એક વખત ફરીથી સ્ક્રીન શેર કરવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન કેમિયો કરતા દેખાશે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન કાજોલે ફિલ્મમાં આમિર ખાનના પાત્રને લઇને વાત કરી છે.

આમિર દરેક પાત્રમાં પોતાના પ્રાણ ફૂંકી દે છે

કાજોલે હાલમાં એક અખબારને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને ફિલ્મમાં દેખાતા તેમના કો-સ્ટાર આમિર ખાનને લઇને વાતચીત કરી હતી. જે અંગે જણાવતા કાજોલે કહ્યું, આમિર ખાન આ ફિલ્મમાં અમેજિંગ અને ધમાકેદાર રીતે પોતાને રજૂ કરવાના છે. તેમના વિશે સારી વાત એ છે કે તેઓ જે પણ કામ કરે છે. તેના માટે તેઓ સ્ટાઈલાઈજ્ડ હોતા નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના દરેક રોલમાં કઈક સારું આપવાનો પ્રયાસ કરે છે, તેઓ ક્યારેય વિચારતા નથી કે મને બધુ આવડી ગયુ છે. કાજોલે જણાવ્યું કે આમિરની કામ કરવાની રીત બિલકુલ અલગ છે. તેઓ એક શાનદાર અભિનેતા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow