કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલ અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશનમાં વ્યસ્ત

આ ફિલ્મમાં કાજોલની સાથે ફનામાં તેમના કો-સ્ટાર રહેલા આમિર ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. કાજોલ હાલમાં અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીને લઇને ચર્ચામાં છવાઈ છે. ફિલ્મના પ્રમોશનમાં તેમણે કોઈ કસર બાકી રાખી નથી. રેવતીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સલામ વેન્કી એક બુક પર આધારિત છે, જેમાં કાજોલ એક બિમાર યુવકની માંની ભૂમિકામાં જોવા મળશે.

આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે

ફિલ્મને હિટ કરાવવાના પ્રયાસમાં કાજોલ અત્યારે ફિલ્મનુ સારી રીતે પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એવી પણ છે કે તેમાં કાજોલ ફનાના પોતાના કો-સ્ટાર આમિર ખાનની સાથે એક વખત ફરીથી સ્ક્રીન શેર કરવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન કેમિયો કરતા દેખાશે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન કાજોલે ફિલ્મમાં આમિર ખાનના પાત્રને લઇને વાત કરી છે.

આમિર દરેક પાત્રમાં પોતાના પ્રાણ ફૂંકી દે છે

કાજોલે હાલમાં એક અખબારને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને ફિલ્મમાં દેખાતા તેમના કો-સ્ટાર આમિર ખાનને લઇને વાતચીત કરી હતી. જે અંગે જણાવતા કાજોલે કહ્યું, આમિર ખાન આ ફિલ્મમાં અમેજિંગ અને ધમાકેદાર રીતે પોતાને રજૂ કરવાના છે. તેમના વિશે સારી વાત એ છે કે તેઓ જે પણ કામ કરે છે. તેના માટે તેઓ સ્ટાઈલાઈજ્ડ હોતા નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના દરેક રોલમાં કઈક સારું આપવાનો પ્રયાસ કરે છે, તેઓ ક્યારેય વિચારતા નથી કે મને બધુ આવડી ગયુ છે. કાજોલે જણાવ્યું કે આમિરની કામ કરવાની રીત બિલકુલ અલગ છે. તેઓ એક શાનદાર અભિનેતા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow