Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

કાશ્મીરમાં ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી

Gujaratnow1 min read
કાશ્મીરમાં ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી

કાશ્મીરમાં શાંતિનો માર્ગ મોકળો થતો દેખાય છે. ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી પડી છે. સૌથી મોટો સફાયો ભાગલાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સનો થયો છે. એક સમય એવો પણ હતો જ્યારે હુર્રિયતના એક એલાન સાથે કાશ્મીર ખૂલતું અને બંધ થતું હતું. 2019ના પુલવામા હુમલા બાદ સરકારે ભાગલાવાદી જૂથ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.

પહેલાં અનેક ભાગલાવાદી નેતા પોલીસ સુરક્ષાદળ અને બુલેટપ્રૂફ ગાડીઓની મજા માણતા હતા પણ હુમલા બાદ સરકારે તે સુવિધા પાછી ખેંચી લીધી. શબ્બીર શાહ, નઈમ ખાન, યાસીન મલિક જેવા ડઝનેક ભગલાવાદીઓને જેલમાં કેદ કરાયા છે. યાસીન મલિકને ટેરર ફન્ડિંગ મામલે જન્મટીપની સજા ફટકારી છે. વધુ બે કેસમાં કેસ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ભાગલાવાદી નેતા આશિયા અંદ્રાબી પણ જેલમાં છે. હુર્રિયતને પક્ષપલટાનો સામનો કરવો પડ્યો છે. અનેક નેતા હુર્રિયત છોડી મુખ્યધારાના પક્ષોમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં હુર્રિયતના સંસ્થાપકોમાં સામેલ અબ્બાસ અન્સારીના મોત બાદ આ સંગઠન લગભગ ખતમ થઇ ચૂક્યું છે.

Gujaratnow1 min read

Related News