જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના ઘેડના ઈન્દ્રાણા, જોનપુર સહિતના અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સરકારે ઘેડ પંથકમાં નદી પહોળી અને ઉંડી ઉતારવા માટે પેકેજની જાહેરાત કરી છે પણ તેની કોઈ કામગીરી કરતી નથી. ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા હોય નુકસાનીનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે. કલેકટરે કહ્યું હતું કે, રસ્તાઓ ક્લિયર થતા જે તે વિભાગ ત્યાં પહોંચી સર્વે હાથ ધરશે.

ઝોનપુર, મઢડા સહિતના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં ઉભો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, જેનાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ પૂરને કારણે ઘેડ પંથકની હજારો વિઘા જમીનને ભારે નુકસાન થયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

Read more

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow
મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow