જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જોર્ડનની ખજૂર દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ સાત વર્ષ પહેલાં આ ખજૂરનાં વૃક્ષો એક પ્રકારના લાલ જંતુઓના પ્રકોપના કારણે લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયાં હતાં. આજે જોર્ડનનાં લગભગ તમામ સાત લાખ ખજૂરનાં વૃક્ષોને બચાવી લેવામાં આવ્યાં છે. આ એઆઇ ખજૂરનાં વૃક્ષોમાં રહેલાં આ નાના લાલ જંતુઓના અવાજને ઓળખી કાઢે છે. જંતુઓના આ અવાજને લોકો સાંભળી શકતા નથી. એઆઇની મદદથી જોર્ડનમાં ખજૂરનાં દરેક વૃક્ષોનો ડેટા બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અમ્માનના એક એન્જિનિયર જાયદ સિનોક્રેટે 2012માં જેરિકો પરત ફરીને પોતાના પરંપરાગત ખજૂરના બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે થોડાક સમયમાં તેનાં ખજૂરનાં વૃક્ષો એક એક કરીને સૂકાવા લાગ્યાં હતાં. 2016માં ફાર્મ વેચી દીધા બાદ જાયદે આ લાલ જંતુઓની ઓળખ કરવાનો નિર્ણય કર્યો હતો. જાયદે પોતાના સાઉન્ડપ્રૂફ રૂમમાં ખજૂરમાં લાલ જંતુઓને ઇન્જેક્ટ કર્યા હતા. ત્યારબાદ વિકસિત થયેલા જંતુઓના અવાજને અલ્ટ્રા સેન્સિટિવ માઇક્રોફોન મારફતે રેકોર્ડ કરી લીધો હતો.

અવાજને રેકોર્ડ કર્યા બાદ તેને એઆઇના એલ્ગોરિધમની સાથે મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આના કારણે જાયદે એપ વિકસિત કરવામાં સફળતા મેળવી હતી. જેને ખજૂરનાં કોઇ પણ વૃક્ષનાં હિસ્સામાં ઇન્જેક્ટ કરીને લાલ જંતુઓ અથવા તો તેમની આંશિક હાજરીને અવાજ મારફતે ઓળખી શકાય છે. અમ્માન યુનિવર્સિટીના પ્રોફેસર નાહિલાનું કહેવું છે કે આ ખાસ પ્રકારની એઆઇ ટેક્નિકની મદદથી જોર્ડનમાં ખજૂરનાં વૃક્ષોમાં જંતુનાશકોના ઉપયોગમાં 75 ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. કોઇ પણ વૃક્ષમાં લાલ જંતુઓની માહિતી મળ્યા બાદ તેને કાપી નાંખવામાં આવે છે.

ખજૂરનાં વૃક્ષોના સ્કેનિંગથી 1200 કરોડની કમાણી
જાયદે ‘પામઇયર’ના નામથી આ એપ વિકસિત કરી છે. સરકારે આ એપ મારફતે 4900 હેક્ટરમાં ખજૂરનાં દરેક વૃક્ષને સ્કેન કર્યા છે. આનાથી જોર્ડનની અર્થવ્યવસ્થામાં દર વર્ષે 1200 કરોડ રૂપિયાની આવક થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow