જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જોર્ડનની ખજૂર દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ સાત વર્ષ પહેલાં આ ખજૂરનાં વૃક્ષો એક પ્રકારના લાલ જંતુઓના પ્રકોપના કારણે લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયાં હતાં. આજે જોર્ડનનાં લગભગ તમામ સાત લાખ ખજૂરનાં વૃક્ષોને બચાવી લેવામાં આવ્યાં છે. આ એઆઇ ખજૂરનાં વૃક્ષોમાં રહેલાં આ નાના લાલ જંતુઓના અવાજને ઓળખી કાઢે છે. જંતુઓના આ અવાજને લોકો સાંભળી શકતા નથી. એઆઇની મદદથી જોર્ડનમાં ખજૂરનાં દરેક વૃક્ષોનો ડેટા બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અમ્માનના એક એન્જિનિયર જાયદ સિનોક્રેટે 2012માં જેરિકો પરત ફરીને પોતાના પરંપરાગત ખજૂરના બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે થોડાક સમયમાં તેનાં ખજૂરનાં વૃક્ષો એક એક કરીને સૂકાવા લાગ્યાં હતાં. 2016માં ફાર્મ વેચી દીધા બાદ જાયદે આ લાલ જંતુઓની ઓળખ કરવાનો નિર્ણય કર્યો હતો. જાયદે પોતાના સાઉન્ડપ્રૂફ રૂમમાં ખજૂરમાં લાલ જંતુઓને ઇન્જેક્ટ કર્યા હતા. ત્યારબાદ વિકસિત થયેલા જંતુઓના અવાજને અલ્ટ્રા સેન્સિટિવ માઇક્રોફોન મારફતે રેકોર્ડ કરી લીધો હતો.

અવાજને રેકોર્ડ કર્યા બાદ તેને એઆઇના એલ્ગોરિધમની સાથે મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આના કારણે જાયદે એપ વિકસિત કરવામાં સફળતા મેળવી હતી. જેને ખજૂરનાં કોઇ પણ વૃક્ષનાં હિસ્સામાં ઇન્જેક્ટ કરીને લાલ જંતુઓ અથવા તો તેમની આંશિક હાજરીને અવાજ મારફતે ઓળખી શકાય છે. અમ્માન યુનિવર્સિટીના પ્રોફેસર નાહિલાનું કહેવું છે કે આ ખાસ પ્રકારની એઆઇ ટેક્નિકની મદદથી જોર્ડનમાં ખજૂરનાં વૃક્ષોમાં જંતુનાશકોના ઉપયોગમાં 75 ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. કોઇ પણ વૃક્ષમાં લાલ જંતુઓની માહિતી મળ્યા બાદ તેને કાપી નાંખવામાં આવે છે.

ખજૂરનાં વૃક્ષોના સ્કેનિંગથી 1200 કરોડની કમાણી
જાયદે ‘પામઇયર’ના નામથી આ એપ વિકસિત કરી છે. સરકારે આ એપ મારફતે 4900 હેક્ટરમાં ખજૂરનાં દરેક વૃક્ષને સ્કેન કર્યા છે. આનાથી જોર્ડનની અર્થવ્યવસ્થામાં દર વર્ષે 1200 કરોડ રૂપિયાની આવક થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow