જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કારણે વિભાગ અને નાગરિકો બંને હેરાન થઇ ગયા છે. જેમાં નવા પોર્ટલમાં સુધારા વધારા થતા નથી. અવારનવાર સર્વર ડાઉન થાય છે. ત્યારે હવે તો એક ગંભીર ભૂલ થયાનું સામે આવ્યું છે. જેમાં મૃતકના દાખલાની તારીખ 5-11-25ને બદલે 4-11-25 આવી હતી. એટલે કે જે દિવસે નાગરિક જીવિત હતા તે તારીખનો મરણનો દાખલો આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ આ ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવી સુધારો કરવા તજવીજ હાથ ધરી છે.

5 નવેમ્બરે મૃત્યુ થયું, ડેથ સર્ટિફિકેટ 4 નવેમ્બરનું ઈસ્યુ કરાયું પ્રાપ્ત વિગત મુજબ ગોહિલ મનીષભાઈ અમરાભાઈ નામના નાગરિકનું તા. 5-11-2025નાં રોજ અવસાન થયું હતું. જેને લઈને પરિવારે તેના મરણનો દાખલો લેવા કાર્યવાહી કરી હતી. ડોકટરના મૃત્યુના પ્રમાણપત્રમાં તા.05-11-25, સમય 3:00નો ઉલ્લેખ હતો. આ ડેટા પોર્ટલ પર ચડાવવામાં આવ્યો હતો. હવે અરજદારને જે દાખલો મળ્યો તેની પ્રિન્ટમાં મરણની તા. 4-11-25 અને સમય 3:00 વાગ્યાનો લખાઇને આવ્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવેલા મેસેજમાં તા.5-11-25નો ઉલ્લેખ હતો અને લીંક આપવામાં આવી હતી.

પરિવારજને જ્યારે આ બાબતે રજૂઆત કરી તો ટેક્નિકલ ભૂલ ગણાવવામાં આવી જોકે મરણનાં દાખલામાં 4-11-25 લખાઈને આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જે દિવસે નાગરિકનું અવસાન થયું તેના એક દિવસ અગાઉનો મરણનો દાખલો મળતા પરિવારને આંચકો લાગ્યો હતો. અને તુરંત રજુઆત કરતા પોર્ટલની ક્ષતિ હોવાનો જવાબ સ્ટાફે આપ્યો હતો. અને આ અંગે મનપા કચેરી ખાતે સંપર્ક કરવામાં આવતા આ ટેક્નિકલ એરર હોવાનું કહી અધિકારીઓએ સુધારો કરવા માટેની ખાતરી આપી આ માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

Read more

જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો

By Gujaratnow
પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઇકોર્

By Gujaratnow
રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનના સીકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકોનાં મોત થયા છે અને 18 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 7ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્

By Gujaratnow
ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ

ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ

ડિસેમ્બરમાં એક બાદ એક નવા IPO આવી રહ્યાં છે. જેમાં અમદાવાદની ફાર્મા કંપની કોરોના રેમેડીઝ લિમિટેડનો ₹655 કરોડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO પલ્બિ

By Gujaratnow