જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RILનો ફાઇનાન્શિયલ સર્વિસનો વ્યવસાય ‘જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ’ આજે (20 જુલાઈ) ડીમર્જર થઈ ગઈ છે. રિલાયન્સના શેરધારકોને જિઓ ફાઇનાન્સિયલનો બોનસ શેર રૂ.261.85ના મૂલ્યમાં મળ્યો હતો. જેના પગલે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિસનું શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર 21 ઓગસ્ટ 2023ના રોજ શેરબજારો પર લિસ્ટિંગ થશે.

જિઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિ. (JFSL) જુલાઇ માસમાં રિલાયન્સમાંથી ડિમર્જ થઈ હતી અને ડિમર્જ પછી તેના શેરની વેલ્યૂ રૂ.261.85 પર ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે પરંતુ સ્ક્રીપમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી.

બીએસઈ અને એસએસઈ પર લિસ્ટિંગ ધરાવતી JFSLને ફિત્સીઈ રસેલે સૂચકાંકોમાંથી પડતું મૂકવાનું વિચાર્યું હતું, જેનું કારણ ઈન્ડેક્સ સર્વિસ પ્રોવાઈડરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેરનું હજુ શેરબજાર પર ટ્રેડિંગ થતું નથી.

હજી આ જાહેરાતના એક દિવસ પછી બીએસઈએ એક નોટિસમાં જણાવ્યું હતું, એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે સોમવાર, 21 ઓગસ્ટ 2023થી પ્રભાવી બને તે રીતે JFSLના ઇક્વિટી ટી ગ્રુપ ઓફ સિક્યોરિટીઝાં શેર સૂચિબદ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ પરના સોદામાં સ્વીકારવામાં આવશે. સંક્ષિપ્ત સ્વરૂપ JIOFIN હશે, તે 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. JFSL નાણાકીય સેવાઓના ઉકેલોની વ્યાપક શ્રેણી ઓફર કરશે અને વીમા, ડિજિટલ પેમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સમાં કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow