જેલમુક્તિ બાદ પી.ટી.જાડેજા રાજકોટ પહોંચ્યા

જેલમુક્તિ બાદ પી.ટી.જાડેજા રાજકોટ પહોંચ્યા

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલમુક્ત કરવામાં આવ્યા હતા. આજે (15 જુલાઈ) સાંજે પી.ટી. જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી. આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ.

21 એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજા( પ્રવીણસિંહ ટપુભા જાડેજા)એ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરીને ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,’ કહી ગાળો ભાંડી ધમકી આપી હતી. જે મામલે રાજકોટ પોલીસે 5 જુલાઈના પી. ટી. જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પાસા રિવોક કરવાની માગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો.

Read more

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ, તા. ૧૫ જુલાઈ - રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા

By Gujaratnow
એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહે

By Gujaratnow
રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow